પ્રતિપાદિત વિષયઃ મોરે ખાધેલ સારી સારી વસ્તુને (ભગવાનના સુખને) સંભારી રાખવી. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનનું સુખ અથવા ભક્તિનું સુખ એક વાર યથાર્થ અનુભવાયા પછી ભુલાતું નથી. ર.સારા દેશકાળ ન રહે તો પણ તે પછી ભૂલો પડતો નથી. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી જે, ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જેના…

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણનો અનાદિ નિર્વિધ્ન માર્ગ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહમાં અનાદિ સાકાર માનવા. ર.ભગવાનની સ્વામી સેવકભાવે ઉપાસના કરવી. ૩.નિરાકાર માન્યતાથી અને માનનારાથી દૂર રહેવું. વિવેચન :– શ્રીજી મહારાજે આ વચનામૃતમાં પ્રશ્ન પૂછયો છે જે, આ જીવને કલ્યાણ પામવાનો અસાધારણ માર્ગ એવો કયો છે કે જેમા પ્રવર્તે તો નિશ્ચે તેનું…

પ્રતિપાદિત વિષયઃ મહારાજના અંતરનું રહસ્ય. મુખ્ય મુદ્દો : ૧.અક્ષરધામના સાધર્મ્યનો, ભગવાન ને ભક્તમાં પ્રીતિનો, તથા વિધ્નો સામે લડી લેવાનો મહારાજને વેગ ચડી ગયો છે તે તેમના કાર્યનું રહસ્ય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આજ તો અમારુ જે રહસ્ય છે તે તમને સર્વને અમારા જાણીને કહીએ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિ અને બીજા જે આકાર તેમાં રહેલો તફાવત. મુખ્ય મુદ્દા : ૧.ભગવાનના આકારનું અખંડ ચિંતવન કરનારા કાળ, કર્મના બંધન થકી છૂટી મુક્ત થાય છે. ર.માયિક આકારનું ચિંતવન કરનારા નરક ચોરાસીમાં ભમે છે તેના દુઃખનો પાર આવતો નથી. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે પ્રત્યક્ષ…

પ્રતિપાદિત વિષયઃ આત્મસત્તારૂપે રહેનારાનાં લક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન તથા સત્પુરુષોએ બાંધેલી મર્યાદા પ્રમાણે રહે છે તે જ આત્મસત્તા રૂપે રહ્યો છે. ર.મર્યાદાથી ન્યૂન અથવા અધિક વર્તનારો દુઃખી થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછયો છે કે સુષુપ્તિમાં જવા છતા કયારેક સુખ થાય છે ને ઉદ્વેગ મટી જાય છે…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિના અખંડ ચિંતવનનો મહિમા. મુખ્ય મુદ્દા : ૧.જેને મૂર્તિનું ચિંતવન છે એવાને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. ર.કાંઈક નિમિત્ત ઊભું કરી જેને મૂર્તિનું ચિંતવન છે તેના મધ્યમાં જન્મ ધરવો. ૩. છતે દેહે મુક્ત કોણ થઈ રહ્યો છે ? વિવેચન :– મહારાજ સત્સંગ સભામાં વિરાજમાન થયા છે ત્યારે…

પ્રતિપાદિત વિષયઃ ગૃહસ્થ તથા ત્યાગીને હિતકારી પરિસ્થિતિ. મુખ્ય મુદ્દાઃ ૧.ત્યાગીને તથા ગૃહસ્થને હિતકારી અલગ અલગ પરીસ્થિતિ હોય છે, સરખી નહિ.ર.ભક્તિભાવથી અને ઈર્ષ્યાથી રહિત થઈને જે સેવા કરે તે મહારાજને ગમે છે વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આ સંસારને વિષે ગૃહસ્થાશ્રમી અને ત્યાગી એ બેના માર્ગ જુદા…

પ્રતિપાદિત વિષયઃ જેની સેવા કર્યાથી ભગવાનની સેવા થાય તથા જેનો દ્રોહ કર્યાથી ભગવાનનો દ્રોહ થાય તેવા સંતના લક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧.જેને મનમાં એક ભગવાનની જ મોટાઈ હોય ને તેને અર્થે જ સર્વસ્વ કુરબાની કરી રાખી હોય તેનો આશ્રય કયારેય ટળે નહિ. ર.પ્રકૃતિ મરોડે ત્યારે ભક્તનો ગુણ લે અને પોતાનો અવગુણ…

પ્રતિપાદિત વિષયઃ એક ભગવાન વિના બીજી સર્વે વાસનાનો નાશ કરવો. મુખ્ય મુદ્દાઃ ૧.પંચ વિષયના ત્યાગ તથા ભગવાનની ભક્તિ સંબંધી વધારાના નિયમોનું પાલન કરવાથી એક ભગવાનની જ વાસના રહે છે. બીજી નાશ પમે છે. ર.હજારો જીવોને ભગવાનના રસ્તે ચલાવવાના શુભાશયથી લીધેલ માર્ગ માટે ક્રોધ થાય તો પણ તેના માર્ગમાં તે ઝાઝો…

પ્રતિપાદિત વિષયઃ ચાર વાનાંની કાચ્યપ ટાળવાનું. મુખ્ય મુદ્દાઃ ૧.જે આત્મલક્ષી તથા પરમાત્માલક્ષી હોય તેને ચાર વાનાંથી પણ કોઈ જાતનો ફેર પડે નહિ તથા આસ્થા આવે નહિ. ર.ધર્માદિ ચાર વાનાં પૂર્ણ હોય ત્યારે વાસુદેવ ભગવાનમાં પ્રવેશ(અતિ આસક્તિ)થાય છે. ૩.સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ આ ચાર વાનાંની કાચ્યપ ટાળે તો નિર્વિધ્ન ભક્તિ…

પ્રતિપાદિત વિષયઃ મુમુક્ષુ અને સદ્‌ગુરુ વચ્ચેની ફરજો. મુખ્ય મુદ્દા : ૧.મોટેરા સંતોએ મુમુક્ષુનું પોષણ થાય તેમ રહેવું ને તેમ કરવું. ર.મુમુક્ષુઓએ આશ્રમ તથા ભગવાનના માર્ગને અનુરૂપ અપેક્ષાઓ રાખવી. નબળી ઈચ્છાઓ ટાળવી. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દઈને…

પ્રતિપાદિત વિષયઃ ભક્તના અંગની શુદ્ધિ– અશુદ્ધિ. મુખ્ય મુદ્દા ૧.પોતાના હૃદયમાં પોતાની આત્મશુદ્ધિ નિત્ય તપાસવી. ર.મરણ આવ્યા પહેલાં મરણ પરિસ્થિતિનો વિચાર કરવો. વિવેચન :– આ વચનામૃત શુદ્ધિની પ્રક્રિયાનું છે. જૂના સંતો સોનીની પેઢીનું વચનામૃત કહે છે. સોનીની પેઢીમાં મહારાજ કહે છે કે શુદ્ધિ અને અશુરુિદ્ધ બંને પ્રક્રિયા ચાલુ હોય છે. જો…

પ્રતિપાદિત વિષયઃ મોહનું સ્વરૂપ મુખ્ય મુદ્દો ૧.પોતાને અવગુણ ન દેખાય તે જ મોહ છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ મોહની વ્યાખ્યા આપતાં કહે છે કે જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહીં માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે. મહારાજે…

પ્રતિપાદિત વિષયઃ મરણદોરી–કલ્યાણના માર્ગથી પતન થવાનું કારણ. મુખ્ય મુદ્દા : ૧.ભગવાનના અવતાર તેના એકાંતિકના ધર્મ સ્થાપવાને અર્થે થાય છે.ર.ભગવાનના એકાંતિક ભક્તને દેહે કરીને મરવું તે મરવું નથી પણ કલ્યાણના માર્ગમાંથી પડી જવું તે મરણ છે.૩.ભક્તનો દ્રોહ કરનારો તત્કાળ ભગવાનના માર્ગથી પડી જાય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત…

પ્રતિપાદિત વિષયઃ પ્રીતિનાં લક્ષણ મુખ્ય મુદ્દોઃ ૧.ભગવાનમાં સાચી પ્રીતિ ત્યારે ગણાય જ્યારે ભગવાન વિના બીજે કયાંય પ્રીતિ રહે નહિ. વિવેચન :– શ્રીજી મહારાજ આગળ કીર્તનભક્તિ થઈ રહી હતી. કીર્તનભક્તિ પૂરી થયા પછી મહારાજ બોલ્યા જે આ કીર્તનને સાંભળીને તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમા એમ જણાયું જે ‘ભગવાનને…

પ્રતિપાદિત વિષયઃ મીનડિયો ભક્ત. મુખ્ય મુદ્દો         ૧.ભક્તિ કરવા છતાં જગતની છૂપી ઈચ્છા ન ટાળે તે મીનડિયો ભક્ત કહેવાય. વિવેચન :– આ વચનામૃતને મોટા સંતો મીનડિયા ભક્તનું વચનામૃત કહેતા. મીનડિયો ભક્ત એટલે શું ? મીંદડીની જેમ ભક્તિ, ધ્યાન, પ્રદક્ષિણા, ઝડપથી હડપ કરવું વગેરે કરે તેને મીનડિયો ભક્ત…

પ્રતિપાદિત વિષયઃ વાસના દૂર કરવાનું સાધન તથા મહિમા પાપ દૂર કરે કે વધારે ? મુખ્ય મુદ્દાઃ ૧.તપશ્ચર્યાના સહકાર વિના એકલી ભક્તિ વાસનાનો નાશ જલ્દી કરી શકતી નથી . ર.મહિમા પાછળ શુદ્ધ આશય ન હોય તો જીવનમાં પાપનો વધારો થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે પૂછયું કે ‘વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય…

પ્રતિપાદિત વિષયઃ મૂર્તિનું અનેકતામાં એકપણું અને દિવ્યપણું. મુખ્ય મુદ્દાઃ ૧.જુદી જુદી દેખાતી હોવા છતાં અક્ષરધામમાં છે તે જ આ મૂર્તિ છે. એવી દૃઢ માન્યતા પૂર્વક મૂર્તિનું ધ્યાન કરવું. ર.જેટલી ઈતર આસક્તિ દૂર કરીને મૂર્તિમાં આસક્ત થવાય તેટલી યથાર્થતા જલ્દી અનુભવાય. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ મહારાજે પ્રેમભક્તિના કીર્તન ગવરાવ્યાં. પછી…

પ્રતિપાદિત વિષયઃ પાંચ વાર્તાનું અનુસંધાન. મુખ્ય મુદ્દાઃ ૧.પરમાત્માને સાકાર માનવા અને તેને રાજી કરવા માટે પુરુષાર્થ કરવો તે મહારાજનો સિદ્વાંત છે. ર.મરીને ભગવાન પાસે પહોંચવા માટે મહારાજે બતાવેલા પાંચ અનુસંધાન અતિ જરૂરી છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે અમારા મનમાં આ બે વાર્તા ગમે છે. ત્યાં મન…

પ્રતિપાદિત વિષયઃ માયિકભાવ દૂર કરીને ભગવાન ભજવા તથા ભગવાનના સંબંધથી કર્મ અતિ બળવાન બને છે. મુખ્ય મુદ્દા : ૧.ભગવાનના જે ભક્ત છે તેને ભગવાન અતિશય શુદ્ધ કરે છે.ર.ભગવાનના સંબંધવાળું કર્મ સૌથી બળવાન બને છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ…

પ્રતિપાદિત વિષયઃ દૈવી તથા આસુરીનું લક્ષણ. મુખ્ય મુદ્દા : ૧.દૈવી જીવને ભક્તના ગુણ જ સૂઝે. ર.આસુરીને ભક્તના અવગુણ જ સૂઝે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો કે જ્યારે કોઈ હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે સૂઝતા હોય એટલાને એટલા જ દોષ સૂઝે કે કાંઈ વધુ સૂઝે ?…