ધન્યાશ્રી વળી કહું વાત અનુપમ એકજી, સુણજો સહુ ઉર આણી વિવેકજી; કહું સત્યવાદી રાય શિબિની ટેકજી, મૂકી નહિ નૃપે મૂવા લગે છેકજી. ૧ ઢાળ છેક ટેક તજી નહિ, દિયે દેદેકાર કરી દાન; જે જે માગે તે તે આપે તેને, બહુ કરી સનમાન. ૨ ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે, માગે મનવાંછિત…

પ્રતિપાદિત વિષય : ૧. નિવૃત્ત ભક્ત અને સેવક ભક્તની તુલના. ર. ભક્ત અને અસુરનું લક્ષણ. ૩. ભગવાન અને ભક્તમાંથી ગુણ ગ્રાહકતાભક્તપણું, દોષ ગ્રાહકતા આસુરીપણું. મુખ્ય મુદ્દા : ૧. ભગવાન અને સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. ભગવાન અને સંતની સેવા થતી નથી તે અસમર્થ સમાન છે. ર. અવળી બુદ્ધિવાળાને…

( રાગ : બિહાગડો ) દોયલું થાવું હરિદાસ રે, સંતો દોયલું૦ જોઈએ તજવી તનસુખ આશ રે, સંતો. ટેક૦ શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ હુલાસ; પેટ કટારી મારી પગ પરઠે, તેને કેની રહી ત્રાસ રે. સંતો૦ ૧ કાયર મનમાં કરે મનસૂબા, રે’શું ઊભા આસપાસ; એમ કરતાં જો ચડી ગાય…

પ્રતિપાદિત વિષય : ઘાટનો ડંસ ક્યારે બેસે અને તેની નિવૃત્તિનો ઉપાય. મુખ્ય મુદ્દા ; ૧. રજોગુણમાંથી ડંસ બેસે છે એટલે અંતરમાં પડેલી વાસના ઉત્તેજીત થાય છે. ર. કથાવાર્તાને અંતઃકરણ અને જીવમાં ધારવી. વિવેચન :– આ વચનામૃત મનના ઘાટનો ડંસ બેઠા–ન બેઠાનું છે. મનમાં ઘાટનો ડંસ બેસવો એટલે મનના ઘાટને અનુરૂપ…

ધન્યાશ્રી એમ પ્રસન્ન કર્યા પરબ્રહ્મજી, સહી શરીરે બહુ પરિશ્રમજી; એહ વાત સાંભળી લેવો મર્મજી, વાત છે કઠણ નથી કાંઈ નર્મજી. ૧ ઢાળ નર્મ નથી છે કઠણ ઘણી, જેવા તેવાથી થાતી નથી; સહુ સહુના મનમાં જુઓ, ઊંડું વિચારી અંતરથી. ૨ વણ ખપવાળાને એ વારતા, અણુ એક અર્થે આવે નહિ; મહિમા માહાત્મ્ય…

પ્રતિપાદિત વિષય : ધર્મે સહિત ભક્તિનું બળ વૃદ્ધિ કેમ પામે ? મુખ્ય મુદ્દા: ૧. સારા દેશકાળનું સેવન કરવું. ર. સત્પુરુષનો સંગ કરવો. વિવેચન :– આ વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ! ધર્માદિ અંગે સહિત જે ભકિત, તેનું બળ વૃદ્ધિ કેમ પામે ? ત્યારે તેનો…

ફળસહિત જુદા જુદા યજ્ઞોનું કથન ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्‌ ।।ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।।२४।। અર્થઃ જે યજ્ઞમાં અર્પણ બ્રહ્મ છે. હોમવાનું દ્રવ્ય બ્રહ્મ છે. અર્પણ કરનારો બ્રહ્મ છે. અગ્ની પણ બ્રહ્મ છે. અને બ્રહ્મમાં રહેવાવાળા યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ છે. ब्रह्मार्पणं…. આગળના શ્લોકોમાં કર્મને જ્ઞાનાકારપણે…

ધન્યાશ્રી ત્યારે સુર ગયા શ્રીપતિ પાસજી, અમર સહુએ કરી અરદાસજી; અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસજી, પણ હવે નથી હરિ એ સ્થાનકની આશજી. ૧ ઢાળ આશા નથી એહ સ્થળની, જોઈ તપ ઋભુરાયતણું; એના તપ પ્રતાપે કરી, અમે તો તપિયા ઘણું. ૨ ત્યારે શ્રીહરિ કહે સુર સાંભળો, તમે જાઓ તમારે…

પ્રતિપાદિત વિષય : સત્સંગમાંથી પાછા પડવાનું અને વૃદ્ધિ પામવાનુ લક્ષણ. મુખ્ય મુદ્દા: ૧. પોતાની સરસાઈ મનાવી તે સત્સંગમાંથી પાછો પડવાનો ઉપાય છે. તે જયાં સુધી સત્સંગમાં રહે ત્યાં સુધી દુઃખી રહે છે. ર. પોતાના કરતાં ભક્તોની સરસાઈ મનાય તો સત્સંગમાં વૃદ્ધિ અને સત્સંગનું સુખ હૃદયમાં આવે છે. વિવેચન :– આ…

ધન્યાશ્રી પ્રભુ ભજવા જેને કરવો ઉપાયજી, તેને એમ કરવું જેમ કર્યું ઋભુરાયજી; પ્રભુ પ્રસન્ન કરવા ગયા વનમાંયજી, આરંભી તપ ઊભા એક પાયજી. ૧ ઢાળ એક પગે ઊભા રહ્યા, અડગ મને અચળ થઈ; કર બેઉ ઊંચા કર્યા, શરીર પર ફેરવે નહિ. ૨ ઈચ્છા મેલી અન્ન પાનની, પ્રભુ પ્રસન્ન કરવાને કાજ; તજી…

પ્રતિપાદિત વિષય : ભગવાન ભજવા માટેની સમજણ (નિર્ણય,નિશ્ચય)નું વચનામૃત. મુખ્ય મુદ્દા: ૧. ભગવાન ભજવા માટે અંતરમાં આ નિર્ણયો કરે તો સારી રીતે ભગવાન ભજાય. ર. જગતના કર્તાહર્તા મહારાજ છે. ૩. મહારાજને ભજવા અથવા રાખવા માટે ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો હસતે મુખે સહન કરવાનો નિર્ણય અને તૈયારી હોવી જોઈએ. ૪.…

ધન્યાશ્રી મયૂરધ્વજ કહે માગું હું તે દેજોજી, આવું રૂપ અનુપ હૃદિયામાં રે’જોજી; વળી એક બીજું મારે માગવું છેજોજી, હવે આવી પરીક્ષા કેનીએ મ લેજોજી. ૧ ઢાળ લેશોમા આવી પરીક્ષા કેની, તમે દયાળુ દયાને ગ્રહી; એમ મયૂરધ્વજે મોર્યે માગ્યું, સહુ જીવ સારુ જાણો સહી. ૨ ભલો ભલો એહ ભૂપતિ, જેની મતિ…

પ્રતિપાદિત વિષય :સાચી રસિકતા કઈ ?મુખ્ય મુદ્દા:૧. રસિક ભકતને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તે મોટી ખોટ્ય છે.ર. પરમાત્મામા રસિકતા જણાય તે જ સાચા અર્થમાં મોક્ષ પ્રદાન કરનારી રસિકતા છે.૩. પરમાત્મામાં પણ રસિકતા હોય અને જગતના વિષયોમાં પણ રસિકતા હોય તે રસિકતા ખોટી છે.વિવેચન :–આ વચનામૃત…

( રાગ : સિંધુ ) આકરે કાકરે કરવત કાઢિયું, વાઢિયું મસ્તક લલાટ લગે; ધડક ફડક થડક નથી મને, અચળ અકડ ઉભા એક પગે. આ૦ ૧ છૂટી છોળ અતોળ લાલ લોહીની, તે જોઈ જન મન ચડી ચિત્તે ચિતરી; દેખી ભૂપતિની વિપત્તિ મતિ ચળી, ઢળી વળી પડ્યાં મૂરછાયે કરી. આ૦ ૨ કરે…

પ્રતિપાદિત વિષય : સ્વધર્મે સહિત ભક્તિ કરવા છતાં પૂર્ણકામપણું મનાતું નથી. મુખ્ય મુદ્દા : ૧. આત્મનિષ્ઠા વિના અધ્યાત્મ ખામીઓ જલ્દી દૂર થતી નથી. ર. ભગવાનના મહિમા વિના પૂર્ણકામપણું આવતું નથી. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં મહારાજ કહે છે કે સ્વધર્મે યુકત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે પોતાનું યથાર્થ પૂર્ણકામપણું…

પ્રતિપાદિત વિષય : જ્ઞાને કરીને સ્થિતિનું પ્રતિપાદન. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનનો મહિમા સમજવાથી અંતરના દોષોની નિવૃત્તિ થાય છે. ર. ભગવાનને નિર્દોષ સમજવાથી પણ અંતરના દોષોની નિવૃત્તિ થાય છે. વિવેચન :– મહારાજ કહે છે કે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ?…

યોગી મહાત્મા પુરુષોનાં આચરણ અને એમનો મહિમા यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता:।ज्ञानाग्निदग्धकर्माणं तमाहु: पण्डितं बुधा:।।१९।। અર્થઃ જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ પુરુષને જ્ઞાનીજનો પંડિત કહે છે. यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता: વિષયોનું વારંવાર ચિંતન થવાથી તેમની…

પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની રીતિ મુખ્ય મુદ્દો : દેહાત્મબુદ્ધિનો ત્યાગ કરીને આત્મભાવથી ભગવાનને ભજવા એ જ ભગવાનને ભજવાની સાચી, શ્રેષ્ઠ અને નિર્વિધ્ન રીતિ છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે વાસુદેવમાહાત્મ્ય નામે જે ગ્રથ છે તે અમને અતિશય પ્રિય છે. કેમજે ભગવાનના ભક્તને ભગવાનને…

પ્રતિપાદિત વિષય : વાજિંત્ર વજાડીને કીર્તન ગાનની સાથે ભગવાનની મૂર્તિની પણ સ્મૃતિ રાખવી. મુખ્ય મુદ્દો : સંગીત ભક્તિમાં મદદ થાય તેવું આયોજન કરવું. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્યાદિક વાજિંત્ર વગાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું…

ધન્યાશ્રી ત્યારે કુમુદ્વતીને કહે દ્વિજ આમજી, નારી અંગ નરનું પણ વેદે કહ્યું વામજી; માટે અંગ તારું નાવે એને કામજી, એણે તો લીધું છે દક્ષિણનું નામજી. ૧ ઢાળ નામ લીધું છે દક્ષિણનું, રાણી કુંવરનું વે’રેલ; એવું લઈને આવજ્યે, આપ્યું હોય હરખે ભરેલ. ૨ ત્યારે મહિપતિ કહે મ બોલો કોઈ, સહુ રહો…

ધન્યાશ્રી ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી; આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજ્યો તમે જરૂર મનજી. ૧ ઢાળ જરૂર તમે જાણજ્યો, આપું ઉતાવળું આ દેહ; વિલંબ તેની નથી વળી, સાચું માનજ્યો નથી સંદેહ. ૨ ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને; પુત્ર પ્રજાને પાળજો,…