( રાગ : સિંધુ ) રાણી વાણી જાણી તાંણી તીખી કહે, કાઢ કાઢ કાઢ કરવાળ તારી; ગ્રહે અતિ ગાઢ ગાઢ ગાઢ મને, વાઢ વાઢ વાઢ વળી મૂંડ મારી. રાણી૦ ૧ રખે અડર નર ડરે ડરતો, થર થર થર કર કરીશમા જો; ધરી ધીર શરીર શૂરવીર થઈ, નાથ હાથ વળતાં દિલે…

પ્રતિપાદિત વિષય : કર્યા કૃત્યને ન જાણનાર કૃતઘ્ની તેનો સંગ ન કરવો મુખ્ય મુદ્દો : સેવકરામને કૃતઘ્ની જાણીને અમે તેના સંગનો ત્યાગ કર્યો. વિવેચન :- અહીં શ્રીજી મહારાજે પોતાની તીર્થયાત્રાનો એક પ્રસંગ વર્ણવ્યો છે. અયોધ્યા પ્રાંત તરફનો સેવકરામ નામે કોઈ સાધુ છે. તે મહારાજને તીર્થયાત્રામાં ભેળો થયેલો છે. તે સાધુ…

પ્રતિપાદિત વિષય : પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયથી અને ભક્તિ, દર્શન વગેરેથી પૂર્ણકામપણાની પ્રાપ્તિ થાય છે. મુખ્ય મુદ્દો : ભગવાનના ભક્તને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય અને દર્શન કરતો હોય પણ જે…

સાંખ્યયોગનો વિષય ભગવાન બોલ્યા अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिता:।।११।। અર્થઃ હે અર્જુન ! જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવાં વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતાં રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા.…

ધન્યાશ્રી વિપ્ર કહે સુણ્ય રોહિદાસ સુભાગ્યજી, સુગંધી ફૂલ લાવ્ય જઈ બાગજી; ગયા ત્યારે ત્યાં ડશ્યો કાળો નાગજી, તેણે કરી તર્ત કર્યું તન ત્યાગજી. ૧ ઢાળ ત્યાગ્યું તન જન જોઈને, કહ્યું વિપ્રને તે વાર; તેહના દેહને દાહ દેવા, મોકલ્યા સેવક ચાર. ૨ તે શબ લાવ્યા ગંગાતટે, ચે’ રચી મૂકે છે આગ;…

પ્રતિપાદિત વિષય : ઈન્દ્રિય અંતઃકરણને ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખવા. મુખ્ય મુદ્દો : ભગવાન અને ભગવાનના ભકતોની સેવામાં રાખે તો ઈન્દ્રિય અંતઃકરણની શુદ્ધિ થાય છે અને વિષયમાં રાખે તો અશુદ્ધિ થાય છે. વિવેચન :– શ્રીજી મહારાજે કહ્યું કે ઈન્દ્રિયોની ક્રિયાને ભગવાન કે ભગવાનના ભક્તની સેવામાં રાખે તો અંતઃકરણ શુદ્ધ…

ધન્યાશ્રી રાણી રોહીદાસનું દ્વિજ દઈ ધનજી, તેડી ગયો તેહને નિજ ભવનજી; હરિશ્ચંદ્ર એક રહ્યો રાજનજી, તે પણ વેચાણો શ્વપચને સદનજી. ૧ ઢાળ શ્વપચ ઘેર રાજા રહ્યા, દ્વિજ ઘેરે રહ્યા રોહિદાસ; તારા તે પણ દ્વિજનું, કરે કામ કરી ઉલ્લાસ. ૨ તારા ખાંડી દિયે તાંદુલાં, પીસી દિયે ગોધૂમ આદિ અન્ન; જળ ભરે…

પ્રતિપાદિત વિષય : જીવ અને ઈશ્વરનું અન્વય વ્યતિરેકપણું. મુખ્ય મુદ્દા : ૧. અનાદિ ભેદ પાંચ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. ર. તત્ત્વ ત્રણ છે. જીવ, ઈશ્વર અને માયા. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કૃપા કરી બતાવે છે કે શાસ્ત્રમાં જયાં જયાં અધ્યાત્મ વાર્તા આવે છે તે સમજાતી નથી…

ધન્યાશ્રી મળિયો મારગ ચાલિયાં ચોંપેજી, પડે આખડે પગ પાછા ન રોપેજી; પોં’ચિયે કાશિયે તો સારું છે સહુપેજી, નવ પોં’ચિયે તો ઋષિ રખે કોપેજી. ૧ ઢાળ ઋષિ કોપ્યાની બીક રહે, રખે વાટે વહી જાય માસ; આપે શાપ તો આપણને, એવો ત્રણેને મને ત્રાસ. ૨ અન્ન વિના અચેત અતિ, ગતિ થોડી થોડી…

પ્રતિપાદિત વિષય : મુમુક્ષુઓને હિત અહિતનો વિવેક. મુખ્ય મુદ્દો : સત્સંગમાં જે વિવેકી છે તે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાનના ભકતને વિષે ગુણને દેખે છે. વિવેચન :– વિવેક શબ્દ ‘વિચિર્‌પૃથક્‌ભાવે’ એ અર્થમા વિચ્‌ ધાતુ ઉપરથી બનેલો છે અને તેનો અર્થ થાય છે વિભાગીકરણ. જે વિભાગીકરણ કરી આપે તેને…

ધન્યાશ્રી ત્યાર પછી ત્રણે ચાલી ભૂલ્યાં વાટજી, આગળ આવ્યું ઉજ્જડ નડેડાટજી; ના’વ્યું નીર નદી કોઈ વાટ ઘાટજી, તોય મને નથી કરતાં ઉચ્ચાટજી. ૧ ઢાળ ઉચ્ચાટ નથી જેને અંતરે, રહે છે આનંદ ઉરમાં અતિ; દઢ ધીરજ મનમાં ધરી, કરી સઘન વન વિષે ગતિ. ૨ ખેર કેર ખજુરી ખરાં, બાવળ કંટાળા બોરડી;…

પ્રતિપાદિત વિષય : ધ્યાન કરવાનો આગ્રહ રાખવો. મુખ્ય મુદ્દો : ધ્યાનમાં મૂર્તિ ન દેખાય તો પણ કાયર ન થવું અને ધ્યાનને મૂકી દેવું નહિ. વિવેચન :– અહીં શ્રીજી મહારાજ કહે છે કે રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું. આ વસ્તુ ઘણી વખત વિવાદનો વિષય બની જતી હોય…

( રાગ : સિંધુ ) સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર નીરનિધિ જેવા; આપે અમાપે તાપે તપે નહિ કેદી, અડગ પગ મગે પરઠે એવા. સત્ય૦ ૧ જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ ત્રાસ નાશ કીધી જેણે; અવિનાશ પાસ વાસ આશ કરી, શ્વાસ ઉચ્છવાસ ઉલ્લાસ રહે છે તેણે. સત્ય૦…

પ્રતિપાદિત વિષય : માનવમાં સ્વાભાવિકપણે રહેલા અંતઃશત્રુરૂપ ઈર્ષ્યાનું સુમાર્ગીકરણ. મુખ્ય મુદ્દો : ઈર્ષ્યા ન કરવી એ ઉત્તમ છે. કરવી તો કોના જેવી કરવી ? વિવેચન :– શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાનના ભકતે પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ઈર્ષ્યા એ જીવનો મોટામાં મોટો અને ઝીણામાં ઝીણો અંતઃશત્રુ છે. બાળક હોય કે…

ધન્યાશ્રી વિશ્વામિત્ર કહે વીતશે એક માસજી, ત્યારે હું આવીશ તમારી પાસજી; ત્યાં સુધી કરજો કાશીમાંહિ વાસજી, પછી હું વેચીશ કરી તપાસજી. ૧ ઢાળ તપાસ કરીશ હું ત્રણેનો, પછી વેચીશ વિગતે કરી; ત્યારે ત્રણે ચાલ્યાં ત્યાં થકી, દૃઢ ધીરજ મનમાં ધરી. ૨ રાજા રાણી કુંવરનાં છે, અતિ કોમળ અંગ; સો સો…

ધન્યાશ્રી ષોડશ પ્રકારે કરી પૂજા અતિજી, ધૂપદીપ કરી ઉતારી આરતિજી; પછી હાથ જોડી કરી વિનતિજી, માગોમાગો મુજથી મોટા મહામતિજી. ૧ ઢાળ માગો કાંઈક મુજ પાસથી, તેહ આપું તમને આજ; ત્યારે મુનિ બોલિયા, આપ્ય તારું સર્વે રાજ. ૨ પૂછ રાણી કુંવર તારાને, સહુ હોય રાજી રળિયાત; તો મેં જે માગ્યું તે…

અર્જુનની કાયરતાના વિષયમાં શ્રીકૃષ્ણાર્જુન સંવાદ સંજય બોલ્યા तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम्‌।विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदन:।।१।। અર્થઃ આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. પ્રથમ અધ્યાયના અંતમાં ધૃતરાષ્ટ્રે સંજયના મુખથી સાંભળ્યું કે, અર્જુને ધનુષ્યબાણ ફેંકી દીધાં અને ‘લડાઈ નહિ કરું.’ એમ…

ધન્યાશ્રી જુઓ હરિભક્ત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જોઈ અકળાણો ઈન્દ્રજી; ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જઈ કહી વાત મારું ગયું મંદરજી. ૧ ઢાળ મારું તો ઘર ગયું, આજ કાલે લેશે અવધપતિ; એનું સત્યધર્મ નિ’મ જોઈને, હું તો અકળાણો અતિ. ૨ એને દાને કરી ડોલિયું, મારું અચળ ઈન્દ્રાસન; માટે રાખો કહું…

ધન્યાશ્રી હરિ ભજવા હરખ હોય હૈયેજી, ત્યારે ભક્ત ધ્રુવ જેવા થઈયેજી; એથી ઓરા રતિયે ન રહિયેજી, પરમ પદને પામિયે તહિયેજી. ૧ ઢાળ પરમ પદને પામિયે, વામિયે સર્વે વિકાર; કાચા સાચા સુખને, નવ પામે નિરધાર. ૨ અજાર ન દેવો અંગે આવવા, દેહ દમવું ગમતું નથી; એવા ભક્ત જક્તમાં ઘણા, તેની વાત…

ઈચ્છયા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ; આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઈચ્છયા૦ ૧ ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા; એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઈચ્છયા૦ ૨ અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવા ને આવા; મોટું બંધન છે માયાતણું, તેમાં ન દેશો…

ધન્યાશ્રી વળી કહું વર્ણવી ધ્રુવની વાતજી, શીત ઉષ્ણ સહે છે દિન ને રાતજી; તેમાં ન થાય કોઈ કાળે કળિયાતજી, કરવા હરિને રાજી રળિયાતજી. ૧ ઢાળ રાજી કરવા મહારાજને, સુખ દુઃખ સહે છે શરીર; અડગ ઊભા એક પગ ભર, ધારી દૃઢતા મન ધીર. ૨ રોઝ ગેંડા પાડા અરણા, શશાં સેમર સુરા…