પ્રતિપાદિત વિષય : ભાગવતધર્મનું પોષણ અને મોક્ષનું દ્વાર ઉધાડુ કેમ થાય ? મુખ્ય મુદ્દા : ૧. ભગવાન પાસે પહોંચવાના ઉપાયોને ભાગવતધર્મ કહેવાય છે. ર. એકાંતિક સંતથી તે માર્ગનું પોષણ થાય છે. ૩. જગત આસક્તિ એ મોક્ષમાર્ગ માટે દ્વારબંધી છે. ૪. ભગવાન અને સંતમાં આસક્તિ થાય એટલે મોક્ષના દ્વાર ખુલ્યા કહેવાય…

જ્ઞાનસહિત પ્રકૃતિ-પુરુષનો વિષય प्रकृतिं पुरुषं चैव विद्धयनादी उभावपि।विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्‌।।१९।। અર્થ : પ્રકૃતિ-માયા અને પુરુષ-જીવાત્મા એ બન્નેયને અનાદિ જાણ-સમજ ! અને સર્વ વિકારો અને ગુણો તે પ્રકૃતિમાંથી થયેલા જાણ ! ।।૧૯।। અહીં પ્રકૃતિ-શબ્દ સમગ્ર ક્ષેત્ર(જગત્‌)ના કારણરૂપી મૂળ પ્રકૃતિને માટે વપરાયો છે. સાત પ્રકૃતિવિકૃતિ (પંચમહાભૂત, અહંકાર અને મહતત્ત્વ), સોળ વિકૃતિ(દસ…

પ્રતિપાદિત વિષય : ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણવા. મુખ્ય મુદ્દા : ૧. જે શાસ્ત્રની જે વાતમાં મુખ્યતા હોય તે વિષયના જ્ઞાનમાં તેનું ગ્રહણ કરવું. ર. ચારેય શાસ્ત્રોનું સંકલન કરીને ભગવાનનો મહિમા સમજવો. વિવેચન :– શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં મોક્ષધર્મની કથા વંચાવતા હતા. તેમાં એમ આવ્યું કે સાંખ્ય, યોગ, વેદાંત અને…

પ્રતિપાદિત વિષયઃ આધ્યાત્મિક દૃષ્ટિથી નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે શુ ? (અથવા કયા સ્થાનને ગણાય ?) મુખ્ય મુદ્દાઃ ૧. મનોમય ચક્રની ધારા જે ઈન્દ્રિયો જ્યાં બૂઠી થઈ જાય તે સ્થાનને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. ર. ભગવાનના સાચા સત્પુરુષોના સાંનિધ્યમાં આધ્યાત્મિક નૈમિષારણ્ય ક્ષેત્ર રહેલું હોય છે. ૩. નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરેલી પરમાત્માની સાધના કે પુણ્યકર્મ…

ધન્યાશ્રી વળી કહું એક જયદેવજીની વાતજી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાતજી; જેને ઘેર પદ્માવતી વિખ્યાતજી, કરે હરિભક્તિ દોય દિવસ ને રાતજી. ૧ ઢાળ રાત દિવસમાં રાગે કરી, ગાય ગોવિંદ ગીત પ્રીતે કરી; જાચી લાવે અન્ન તેહ જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી. ૨ બ્રાહ્મણ ને વળી ભક્ત હરિના, જાણી શિષ્ય…

પ્રતિપાદિત વિષય : ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. મુખ્ય મુદ્દો : મહારાજ આપણા અંતરમાં રહીને પોતાનો નિશ્ચય કરાવે છે. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં પૂર્ણાનંદસ્વામીનો પ્રશ્ન છે : દસ ઈન્દ્રિયો રજોગુણની છે ને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણનાં છે. માટે સર્વે ઈન્દ્રિયો ને અંતઃકરણ તે તો માયિક છે…

ધન્યાશ્રી વળી કહ્યું એક શિલોંચ્છવૃત્તિ ધારીજી, વીણે એક કણકણ ધર્મ વિચારીજી; ઋષિ ઋષિસુત ઋષિનારી સુતનારીજી, જમે દિન આઠમે એહ મળી વળી ચારીજી. ૧ ઢાળ ચારે બેઠાં જ્યારે જમવાને, હતો સાથુ શેર જુગલ; ત્યાં ધર્મ ધરી રૂપ દ્વિજનું, તક જોઈ આવ્યા તેહ પલ. ૨ આવી કહ્યું આપો અન્ન મને, હું ભૂખ્યો…

પ્રતિપાદિત વિષય : બુદ્ધિ ભેદ અને તેની કુશાગ્રતા. મુખ્ય મુદ્દો : આત્મકલ્યાણનો માર્ગ સૂઝે તે બુદ્ધિની સાચી કુશળતા. વિવેચન :– આ વચનામૃત કુશાગ્રબુદ્ધિનું છે. મહારાજ કહે જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની(પરમાત્માની) પ્રાપ્તિ થાય છે. ‘દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ'(કઠોપ. ૧૩૧૧) એમ કહ્યું છે. તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય…

પ્રતિપાદિત વિષય : અંતર્દૃષ્ટિ એટલે શું ? મુખ્ય મુદ્દા : ૧. અભ્યાસ કરવાથી વૃત્તિ ભગવાનમાં ધીરે ધીરે રહેવા લાગે છે. ર. મૂર્તિનો અભ્યાસ કરવો તે જ અંતર્દૃષ્ટિ છે. વિવેચન :– આ વચનામૃતમાં સદ્‌.બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે, ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ…

પ્રતિપાદિત વિષયઃ એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ? મુખ્ય મુદ્દાઃ ૧. જેને વિષે રહીને વિષય ભોગવાય છે તેને અવસ્થા કહેવાય છે. ર. અવસ્થાઓ સત્ત્વાદિ ગુણના કારણે સર્જાય છે. વિવેચન :– અહીં વચનામૃતમાં શ્રી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે એક એક અવસ્થાને વિષે બીજી…

ધન્યાશ્રી સુણો એક મુદ્‌ગલ ઋષિની રીતજી, વીણે અન્ન દિન પંદર લગી નિતજી; કરી પાક જમાડે અભ્યાગત ઘણે હિતજી, વધે અન્ન તેહ જમે કરી અતિ પ્રીતજી. ૧ ઢાળ કરી પ્રીત અતિ જમતો, ત્યાં દુર્વાસા ઋષિ આવિયા; અતિ આદર દઈ બ્રાહ્મણે, જમવાને બેસારિયા. ૨ જમી અન્ન જે વધ્યું હતું, તે ચોળી પોતાને…

પ્રતિપાદિત વિષય : ચાર પ્રકારના કુસંગીનું વિવરણ અને તેનો ત્યાગ. મુખ્ય મુદ્દા : ૧. બહારનો કુસંગ અંદરના કુસંગનું પોષણ કરે છે. ર. અંદરનો કુસંગ બહારના કુસંગના સહકાર વિના સફળ થતો નથી. ૩. ઉપર બતાવેલા કુસંગનો ત્યાગ કરવો. ૪. તેનાથી બચવા મહારાજને નિત્ય પ્રાર્થના કરવી. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે કૃપા…

પ્રતિપાદિત વિષયઃ વાસના નિવૃત્તિ તથા દર્શનનું રહસ્ય, અન્વય વ્યતિરેક સ્વરૂપ. મુખ્ય મુદ્દાઃ ૧. પરમાત્માનો સારી રીતે મહિમા સમજવાથી વાસનાની નિવૃત્તિ થાય છે. ર. જેટલા વેગપૂર્વક દર્શન થાય તેટલા જીવમાં ઊંડા સંસ્કારો બેસે છે. જેને અનુસારે ભગવાનમાં પ્રીતિ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ર પૂછયો કે વાસનાની…

પ્રતિપાદિત વિષય : ચાર અંગની વાર્તાનાં લક્ષણો. મુખ્ય મુદ્દા : ૧.સત્સંગમાં પ્રગતિ કરવા માટે જીવનમાં સારી ધરેડ પડે તેને અંગ કહેવાય છે. ર.અંગની સ્પષ્ટતા ન હોય તો ભ્રમણા રહે ને પ્રગતિ થતી નથી. ૩.પ્રથમ એક અંગ હોય તેને દૃઢ કરવું. ૪. અંતે ચારેય અંગ સિદ્ધ કરવાં. વિવેચન :– આ વચનામૃતમાં…

( રાગ : કડખો ) સાચા ભક્તની રીત સર્વે સાચી સહી, સાચા સર્વેર્ આચરણ એનાં; ખાતાં પીતાં સૂતાં જાગતાં જાણિયે, ઉપદેશરૂપ અનૂપ તેનાં. સાચા૦ ૧ હાલતાં ચાલતાં જોતાં માંય જોવું ખરું, લેતાં દેતાં બોલતાંમાં કળી લૈયે; જાતાં આવતાં પાસ વાસ વસતાં, કેમ ન કળાય એહ કહો તૈયેં, સાચા૦ ૨ કરતાં…

પ્રતિપાદિત વિષય : ભૌતિક અને ચિદાકાશની ચર્ચા. મુખ્ય મુદ્દા : ભૌતિક આકાશ અને ચિદાકાશ બન્ને ભિન્ન છે. વિવેચન :– અહીં આ વચનામૃતમાં આકાશની લીનતા કેમ થાય છે ? તે પ્રશ્ન છે. તેના સ્પષ્ટીકરણ માટે એમ કહેવાય કે આકાશ બે પ્રકારનો છે. ૧. ભૌતિક આકાશ. ર. ચિદાકાશ. તેમાં જે ભૌતિક આકાશની…

જ્ઞાનસહિત ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનો વિષય ભગવાન બોલ્યા इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते।एतद्यो वेत्ति तं प्राहु: क्षेत्रज्ञ इति तद्विद:।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે અર્જુન ! આ શરીરને ક્ષેત્ર એવા નામે કહેવામાં આવે છે અને તે ક્ષેત્ર-શરીરને જે જાણે છે. તે જીવાત્માને ક્ષેત્રજ્ઞ એવા નામે તે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના સ્વરૂપને યથાર્થ જાણનારા જ્ઞાનીજનો કહે છે.…

પ્રતિપાદિત વિષય : ભગવાન સાકાર છે કે નિરાકાર ? મુખ્ય મુદ્દો : ભગવાનને સદાય સાકાર જ માનવા. વિવેચન :– આ વચનામૃતમાં ગોપાળાનદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે, હે મહારાજ ! કેટલાક વેદાંતી એમ કહે છે કે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રકારની શ્રુતિઓને ભણે છે. જયારે નારદ, શુક, સનકાદિક…

ધન્યાશ્રી એ કહ્યા સરવે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા ભગવનજી; તોય કોઈ મોળા ન પડિયા મનજી, કહું વાર હજાર એને ધન્યધન્યજી. ૧ ઢાળ ધન્યધન્ય એહ જનને, જેણે શિશ સાટે સોદો કર્યો; તજી છે આશ તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો. ૨ લીધો સિંદોરો શિશ હાથમાં, તેહ સાથ જોવા…

પ્રતિપાદિત વિષય : સ્નેહ તો એનું નામ જે ભગવાનની અખંડ સ્મૃતિ રહે. મુખ્ય મુદ્દા : આપણા હૃદયમાં મહારાજ પ્રત્યે ભક્તિ છે કે નહિ તેનો તપાસ કરવા માટે સ્મૃતિ પણ એક કસોટી છે. વિવેચન :– ભગવાનમાં સ્નેહનું શું લક્ષણ છે ? મહારાજ વચ.કા.૧૧મા સ્નેહનું લક્ષણ કરતા જણાવે છે કે જેને જેના…

આ વચનામૃત આત્મા અનાત્માની ચોખ્ખી ઓળખાણનું છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. હે મહારાજ ! આત્મા અનાત્માની ચોખ્ખી વિક્તિ તે કેમ સમજવી ? જે સમજવે કરીને આત્મા–અનાત્મા એક સમજાય નહીં. મહારાજ કહે, એક શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા પછી દેહ…