પ્રતિપાદિત વિષયઃ સંપ્રદાયની પૃષ્ટિ. મુખ્ય મુદ્દાઃ ૧.ઈષ્ટદેવના ચરિત્રના ગ્રંથથી પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય છે. વિવેચન :– આ વચનામૃત સંપ્રદાયની પુષ્ટિનું વચનામૃત છે. સંપ્રદાય એટલે સમ્યક્–પ્રકૃષ્ટ–દાયભાગ એટલે રૂડી રીતે ચાલ્યો આવેલો જ્ઞાનનો વારસો. પરમાત્મા એવા નારાયણથી પ્રારંભીને વર્તમાનકાળના આગેવાન ધારકો સુધી જે પરમાત્મા, જીવ, માયા તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના…
ગમ–૪૩ : બ્રહ્મસ્વરૂપની પ્રીતિનું
પ્રતિપાદિત વિષયઃ નિર્ગુણ પ્રીતિ. મુખ્ય મુદ્દો : ૧.ભગવાનનો ભક્ત ગુણાતીત થાય તો પણ ભગવાનમાં પ્રીતિ હોય છે અને તે આત્માને સજાતીય પ્રીતિ હોય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે. ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય, તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ ને વિષયમાં પ્રીતિરૂપ…
ગઅ–ર૬ : મન અને ઈન્દ્રિયોને દબાવીને વર્તે તે દેવ મનુષ્યથી અધિક છે, ધર્મમાં રહ્યાનું
પ્રતિપાદિત વિષયઃ ભગવાન પેઠે સેવવા યોગ્ય સંત, દેશકાળે કોને બંધન ન થાય, મહારાજનું ગમતું–અણગમતું. મુખ્ય મુદ્દાઃ ૧.જેની બુદ્ધિમાં ધર્માંશ વધુ હોય તેને કોઈ પદાર્થ બંધન ન કરે. ર.ભગવાનનું અણગમતું ત્યાગ કરવું ને ગમતું કરવું. વિવેચન :– મહારાજે વાત કરી જે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા…
ગઅ–રપ : શ્રીજીની પ્રસન્નતાનું ,ખરા ભક્તનું
પ્રતિપાદિત વિષયઃ ભગવાનને રાજી કરવાનું ધ્યેય રાખવું તથા ભગવાનનું ગમતું કરવું. મુખ્ય મુદ્દાઃ ૧.કોઈપણ ક્રિયામાં નિષ્કામ ભાવ રાખવો તે સાચું પણ ભગવાનને રાજી કરવાની કામનાનો ત્યાગ ન કરવો. તે તો રાખવી. ર.ભગવાનને ગમે તે કરવું અને ન ગમે તે ન કરવું તો ભગવાન રાજી થાય. વિવેચન :– આ વચનામૃત શ્રીજી…
ગઅ–ર૪ : સોળ સાધનનું, જ્ઞાનાંશના વૈરાગ્યનું
પ્રતિપાદિત વિષયઃ અક્ષરધામની સેવા પ્રાપ્તિનાં સાધનો, આપત્કાળમા પણ ધર્મથી ન પડવું, પ્રકૃતિ જવાનો ઉપાય,જ્ઞાનાંશનો વૈરાગ્ય. મુખ્ય મુદ્દાઃ ૧.સોળ સાધને કરીને મહારાજની સેવામાં રહેવાય છે. ર.જેને વચનની ખટક છે તે કયારેય ધર્મથી ન પડે. ૩.ગરજ જણાય તો પ્રકૃતિ તત્કાળ ટળે છે. ૪.જ્ઞાનાંશનો વૈરાગ્ય સર્વે બંધન કાપી નાખે છે. પ.કથાવાર્તા સાંભળવામાં જેટલી…
ગમ–૪ર : સંગણ નિર્ગુણ અક્ષરને વિષે છે ને કૂંચીનું
પ્રતિપાદિત વિષયઃ સંગણ–નિર્ગુણપણું અક્ષરને વિષે છે. મુખ્ય મુદ્દો : ૧.ભગવાન સંગણ પણ નથી નિર્ગુણ પણ નથી. વિવેચન :– આ વચનામૃતમાં ભગવદાનંદ સ્વામીએ મહારાજને પૂછયું, જે હે મહારાજ ! ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે ? તે ભાગવતમાં બ્રહ્માજીની સ્તુતિમાં બ્રહ્માજીએ કહ્યું…
ગમ–પ૯ : પરમ કલ્યાણનું
પ્રતિપાદિત વિષયઃ નિષ્ઠા–પરમકલ્યાણ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન અને સાચા સતની સાચા મહિમા સહિતની ઓળખાણને નિષ્ઠા કહેવાય છે.ર.સાચી નિષ્ઠા થવી તે પરમ કલ્યાણ ગણાય છે. વિવેચન :– આ વચનામૃત ભગવાનમાં નિષ્ઠા બતાવનારું વચનામૃત છે. આ વચનામૃતને જૂના સંતોએ પરમ કલ્યાણનું વચનામૃત કહ્યું છે. કલ્યાણના માર્ગમાં બે વસ્તુ સમજવાની છે. એક મુક્તિ અને…
ગમ–૬૦ : વિક્ષેપ ટાળ્યાનું અને પક્ષ રાખ્યાનું
પ્રતિપાદિત વિષયઃ વિક્ષેપ ટાળવાની સમજણના ઉપાય મુખ્ય મુદ્દાઃ ૧.આત્મનિષ્ઠા, વિષયનું તુચ્છપણું તથા ભગવાનના મહિમાના અનુસંધાનથી વિક્ષેપ નડતો નથી. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ શ્રીજી મહારાજે પ્રશ્ન ઉત્તર કરવાની પ્રેરણા કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે આ સંસારને વિષે કેટલીક જાતના(અનંત જાતના) વિક્ષેપ આવે છે તેમા કેવી રીતે ભગવાનનો ભક્ત…
ગમ–૪૧ : માનરૂપી હાડકાનું
પ્રતિપાદિત વિષયઃ માનનો ત્યાગ કરવો. મુખ્ય મુદ્દા : ૧.માનમાંથી જીવને સ્વાદ આવે છે એવો તો કયાંયથી આવતો નથી. ર.ભગવાન અને તેના ભક્તોને રાજી કરવા સેવા કરવી પણ કોઈ વખાણે તે સારુ ન કરવી. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કૃપાવાકયથી શરૂઆત કરી છે. મહારાજ કહે છે કે જેને પરમેશ્વર પાસે…
ગઅ–ર૩ : માનસી પૂજાનું
પ્રતિપાદિત વિષયઃ સમયાનુસાર માનસી પૂજા કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.પોતાના મનમાં ગમતા પદાર્થોથી ભગવાનની માનસી પૂજા કરવી. ર.ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય અથવા વઢે તો પણ પોતાનાં ભાગ્ય માનવાં ને રાજી થકા સેવા ભજન કરવું. વિવેચન :– આ વચનામૃત માનસી પૂજાનું વચનામૃત છે. ભગવાનની મૂર્તિમાં હેત વધારવા માટે માનસી પૂજા…
ગઅ–રર : સખી–સખા ભાવનું
પ્રતિપાદિત વિષયઃ પ્રેમલક્ષણા ભક્તિ પરિશુદ્ધ ભાવથી કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.રસિક ભક્તિમાં પ્રથમ ભાવની–આશયની શુદ્ધિથી ભક્તિ કરવી. ર.ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. વિવેચન :– મહારાજની આગળ પ્રેમભક્તિના કીર્તન ગવાતાં હતાં તે સાંભળીને મહારાજે વાત કરી. આ કીર્તનોમાં પ્રેમભક્તિનું જે પ્રકારનું અગ કહ્યું એવું અંગ ઝીણાભાઈનું છે તથા તેવાં અંગ પર્વતભાઈ ને…
ગમ–૬૧ : નિયમ, નિશ્ચય અને પક્ષનું
પ્રતિપાદિત વિષયઃ પાકા સત્સંગીના લક્ષણઃ નિયમ, નિશ્ચય અને પક્ષ. મુખ્ય મુદ્દાઃ ૧.નિયમ, નિશ્ચય અને પક્ષ રાખે તે જ પાકો સત્સંગી કહેવાય.ર.સત્સંગને અર્થે સર્વસ્વ સમર્પણ કરી શકે તે મોટેરો સત્સંગી. વિવેચન :– આ વચનામૃતમાં પાકો સત્સંગી કોને કહેવો તથા મોટેરો સત્સંગી કોને કહેવો તેનાં લક્ષણો કહ્યા છે. મહારાજ કહે જેમાં ત્રણ…
ગઅ–ર૧ : સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું
પ્રતિપાદિત વિષયઃ ભગવાનના અવતારનું પ્રયોજન તથા એકાંતિક ધર્મ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન પોતાના એકાંતિક ભક્તના ધર્મ– ભાગવત ધર્મ પ્રવર્તાવવા માટે અવતાર લે છે. ર.જેને ભગવાનના ભક્તમા સમર્પણ નથી તેનો સત્સંગ જરૂર ઢીલો પડી જશે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે. ભગવાનની જે ભક્તિ છે તેણે…
ગમ–૬ર : આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસભાવનુંગમ
પ્રતિપાદિત વિષયઃઆત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસભાવઃ ત્રણ અંગો. મુખ્ય મુદ્દાઃ ૧.આ ત્રણ અગ વિના જીવવું આત્યંતિક કલ્યાણ કોઈ રીતે થતું નથી.ર.જ્યારે આ જીવને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થાય ત્યારે આ જીવ કૃતાર્થ થઈ રહ્યો છે. વિવેચન :– અહીં પ્રથમ અયોધ્યાપ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછયો કે આ સંસારમાં એવો પુરુષ હોય જે આઠો…
ગઅ–ર૦ : સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું
પ્રતિપાદિત વિષયઃ સ્વભાવની ઓળખાણ. મુખ્ય મુદ્દાઃ ૧.જીવ સાથે એકરસ થયેલા બહિર્મુખ કર્મોને સ્વભાવ કહેવાય છે. ર.ભગવાનની ભક્તિ સહિત આત્મનિષ્ઠા હોય તેનાથી તે સ્વભાવ જીતાય છે. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછયો જે હે મહારાજ, કાળ તો ભગવાનની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યા હોય તે છે,…
ગમ–૪૦ : એક દંડવત પ્રણામ અધિક કર્યાનું
પ્રતિપાદિત વિષયઃ એક દંડવત પ્રણામ અધિક કરવો. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનના ભક્તના દ્રોહે કરીને આ જીવનું જેવું ભૂંડું થાય છે તથા કષ્ટ થાય છે તેવું બીજા કોઈ પાપે કરીને થતું નથી. ર.ભગવાનના ભક્તની સેવા કરવાથી આ જીવનું રૂડું થાય છે તેવું બીજા કોઈ સાધનથી થતું નથી. ૩.અપરાધ માફ કરાવવા નિયમથી એક…
ગઅ–૧૯ : ત્યાગીના બે કુલક્ષણનું
પ્રતિપાદિત વિષયઃ ત્યાગાશ્રમીના કુલક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧.ત્યાગી થઈને સંબંધીમાં હેત રાખવું તથા કામના રાખવી તે મોટું કુલક્ષણ છે. ર.પોતાના સેવકમાં પણ અતિ હેત ન રાખવું. વિવેચન :– આ વચનામૃતમાં ત્યાગીના કુલક્ષણની વાત કરી છે. મહારાજે વાત કરી જે જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે ત્યાગી, તેને બે કુલક્ષણ છે.…
ગઅ–૧૮ : વાસના જીર્ણ થયાનું
પ્રતિપાદિત વિષયઃ વાસના જીર્ણ થયાનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.જીવ જેટલો પ્રીતિપૂર્વક ભગવાનમા અથવા તેના એકાંતિક ભક્તમાં જોડાય તેટલી વાસના જીર્ણ થાય છે, છૂટે છે. ર.વાસના છૂટયા પછી પણ પરમેશ્વરની આજ્ઞા અથવા નવધા ભક્તિ નિભાવવા ઘટિત દેહાભિમાન રહે છે. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછયો છે. જેવી જાગ્રત…
ગમ–૩૯ : સ્વાભાવિક ગુણ વર્ત્યાનું
પ્રતિપાદિત વિષયઃ સ્વાભાવિક ગુણનું પ્રવર્તન તથા દશમ અને પંચમ સ્કંધનું રહસ્ય. મુખ્ય મુદ્દાઃ ૧.મોટેરામાં નિષ્કામી વ્રત ખાસ જોઈએ. ર.પરોક્ષપણે જે ભગવાનને ગાયા છે તે જ આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે એમ માનવું તે દશમ સ્કંધનું રહસ્ય છે. ૩.જો ભગવાને બાંધેલ મર્યાદા લોપે તો ગમે તેવા મોટાની પણ અધોગતિ થાય છે…
ગમ–૬૩ : બળ પામ્યાનું
પ્રતિપાદિત વિષયઃ ભગવાનના માર્ગમાં બળ પ્રાપ્તિના ઉપાયો. મુખ્ય મુદ્દાઃ ૧.સત્તારૂપે રહેતાં રહેતાં જીવમાં વિવેકબળ આવે છે.ર. ભગવાન તથા ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ બળ પામવાનો મોટો ઉપાય નથી.૩.ભગવાનના ભક્તની સેવા કરવાથી જીવમાં તત્કાળ બળ પમાય છે. વિવેચન :– આ વચનામૃત વિવેકબળની પ્રાપ્તિનું છે. મુક્તાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ…
ગમ–૩૮ : માંચા ભક્તનું, પ્રવેશનું
પ્રતિપાદિત વિષયઃ વાસુદેવમાં પ્રવેશ થવો એટલે શું ? મુખ્ય મુદ્દા ૧.ભગવાનમાં અતિ આસક્તિ થવી તેને પ્રવેશ થયો કહેવાય. ર.જેમ જળમાં જળ મળી જાય તે પ્રવેશ નથી. વિવેચન :– આ વાસુદેવ ભગવાનમાં પ્રવેશનું વચનામૃત છે. જગત પ્રવેશ, દેવતાન્તર પ્રવેશ અને મહારાજમાં પ્રવેશ કેમ થાય અથવા પ્રવેશ એટલે…