तस्याः साधनानि गायन्त्याचार्याः ।।३४।।
આચાર્યો ભક્તિના સાધનોનું ગાન કરે છે. ‘उपदेश्यति ते ज्ञानं ज्ञानिनः तत्वदर्शिनः’ પરંતુ ભક્તિના વિષયમાં ગાન શબ્દ વાપર્યો છે જે ઉપદેશના અર્થમાં જ વપરાયો છે હૃદયમાં સુખ-દુઃખની જે સંવેદના થાય છે તેના ઉદ્ગાર ‘निवृततबैंकः उपगीयानम् ।’ ને ગાન કહેવાય છે ભક્તિની સંગીત કહેવામાં આવે છે. અને ભક્તિની ચાલ એટલે કે ગતિને નૃત્ય કહેવામાં આવે છે. નારદજી ભક્તિના ખુબ જ ચાહક છે તેથી ભક્તિના વિષયમાં બોલતા બોલતા ગાયન કરવા લાગી જાય છે.
જે કે ભક્તિ સ્વયં પોતાનું સાધન છે તેનું કોઈ સાધન નથી તો પછી નારદજી અંહિ ભક્તિના સાધનો ઉલ્લેખ કેમ કરે છે? તેનું સમાધાન એ છે કે ભક્તિનું સાધન ભક્તિ જ છે તો પણ તેને બીજા સહાયક સાધનો હોય છે માટે સહાયક સાધનોની વાત અંહિ નારદજી કહે છે અથવા ‘गायन्ति आचार्याः’ નું તાત્પર્ય એ છે કે નારદજી નથી માનતા પણ બીજા આચાર્યો માને છે અથવા સૂત્રનું તાત્પર્ય એમ કરવું કે સાધકને માટે ભક્તિ સાધના છે અને સિધ્ધ થયા પછી સાધ્ય પણ છે માટે તેના સાધનોની વાત કરે છે જેનો વિસ્તાર ખુદ નારદજી એ શ્રીમદ્ ભાગવતમાં એકાદશ સ્કંધ આધ્યાય ૨ થી પમાં દ્વારિકામાં શ્રીવસુદેવજીને કહ્યો છે જેનો સંક્ષેપ પછીના સૂત્રમાં બતાવ્યો છે. જે પણ નવયોગેશ્વર અને જનક રાજાના સંવાદ રૂપે તથા પ્રહલાદજીએ પણ ભક્તિના સાધનો બતાવ્યા છે. તેમાં ગુરુપ્રપતિ, ગુરુસેવા, વિષય ત્યાગ દ્વારા માયા તરણ, દયા, મૈત્રી, આદિક ગુણ, શ્રવણ કીર્તનાદિ વિશેષ ભક્તિ વિગેરે બતાવ્યા છે તેમાંથી આવશ્યક સાધનોનો નારદજી અંહિ પણ ઉલ્લેખ કરી રહ્યા છે.