Browsing CategoryVachnamrut Chintan

પ્રતિપાદિત વિષયઃ માહાત્મ્ય સહિત નિશ્ચયવાળાનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.તેને અર્થે શું શું ન થાય ? ર.વચનમાં ફેર પાડે નહિ. ૩.પ્રાપ્તિ પ્રત્યેનો ફેર હોય. ૪.મહિમા અતિ હોય. પ.ભક્ત તથા અભક્તને મૃત્યુ પછી થનારી પ્રાપ્તિનું હૃદયમાં સ્પષ્ટીકરણ હોય. વિવેચન :– આ વચનામૃતમાં ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો છે ભગવાન…

પ્રતિપાદિત વિષયઃ દેહ છતાં મુત્યુનો ભય ટળી જવો. મુખ્ય મુદ્દાઃ ૧.મૃત્યુ એ પોતાના સમગ્ર જીવન દરમ્યાન કરેલાં સારાં–નરસાં કર્મોના સરવાળા – બાદબાકીના પરિણામનો દિવસ છે. ર.જીવન સુધારી પરમાત્મા સન્મુખ થવાથી મૃત્યુનો ભય દૂર થાય છે. ૩.જીવનસુધાર વિશ્વાસ, જ્ઞાન, શૂરવીરતા અને પ્રીતિથી થાય છે. વિવેચન :– આ વચનામૃત મૃત્યુનો ભય ટળી…

પ્રતિપાદિત વિષયઃ ક્રોધ, કામને મૂળથી ઉખેડવા વગેરે. મુખ્ય મુદ્દાઃ ૧. રજોગુણી, તમોગુણી માણસ અથવા દેવતા મહારાજને ગમતા નથી. ર. આત્મનિષ્ઠા, પંચ વર્તમાન અને મહારાજના મહિમાથી કામનો નાશ કરી શકાય છે. …ઈત્યાદિક. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછયો છે કે શંકર શબ્દનો શો અર્થ છે ? ત્યારે મુનિઓએ ઉત્તર કર્યો…

પ્રતિપાદિત વિષયઃ વાસનાવાળા ત્યાગી અને નિર્વાસનિક ગૃહસ્થ તે બેમાંથી મર્યા પછી કોની ઉત્તમ ગતિ થાય ? મુખ્ય મુદ્દા ૧. મૃત્યુ પછી ઉત્તમ ગતિ માટે નિર્વાસનિકપણું કારણભૂત છે. ર. સગવડતા, શક્તિ ને સમૃદ્ધિની હાજરીમા પણ નિર્વાસનિક રહેવું તે જ સાચી નિર્વાસનિકતા છે. વિવેચન :– મહારાજે આ વચનામૃતમાં પરમહંસો પ્રત્યે પ્રશ્ન પૂછયો…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને જેવા છે તેવા જાણવા અને તેનો ઉપાય. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન જેવા છે તેવા જાણે તો ભગવાનનો દ્રોહ ન થાય. ર.ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણે તો પૂરા જાણી શકાય નહિ તો અધૂરા ગણાય. વિવેચન :– આ વચનામૃતમાં બુવાના કાનદાસજીએ મહારાજને પ્રશ્ન પૂછયો છે. હે મહારાજ ભગવાન શે પ્રકારે…

પ્રતિપાદિત વિષયઃ બાધિતાનુવૃત્તિ તથા જીવની દેહને વિષે સ્થિતિ. મુખ્ય મુદ્દાઃ ૧.બાધિતાનુવૃત્તિ એ નિર્વિકલ્પ સ્થિતિની દૃષ્ટિએ કિંચિત્‌ઊણપ છે.ર.સામાન્ય ભક્તો જો આ પ્રક્રિયાને ન સમજી શકે તો શ્રેષ્ઠ ભક્તનો અવગુણ લઈ પાપમાં પડે છે.૩.જીવ માંસચક્રમા રહ્યો છે ને સામાન્ય સત્તાથી સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. વિવેચન :– આ વચનામૃત બાધિતાનુવૃત્તિનું છે. બાધિતાનુવૃત્તિ…

પ્રતિપાદિત વિષયઃ કારણ શરીરનો નાશ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનની મૂર્તિનું ધ્યાન અને વચનને હૃદયમાં ધારવાથી કારણ શરીરનો નાશ થઈ જાય છે. ર.હૃદયપૂર્વક આસ્તિક થઈને અધ્યાત્મવાર્તા સાંભળવાથી ને મનન કરવાથી મન નિર્વિષયી થાય છે.(કારણ શરીર ખોખલું થાય છે) વિવેચન :– આ વચનામૃત આંબલીનાં કચૂકાનુ અથવા તો કારણ શરીર ટાળ્યાનું છે. અહીં જીવના…

પ્રતિપાદિત વિષયઃ નિર્વિકલ્પ સમાધિ. મુખ્ય મુદ્દાઃ ૧.અષ્ટાંગયોગની સમાધિ કરતાં પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપી સમાધિ શ્રેષ્ઠ છે. ર.ભગવાનના ભક્તએ મન સાથે જરૂર વેર બાંધવું; તેમાં તેનુ જરૂર સારું થશે. વિવેચન :– આ વચનામૃતમાં વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ ! મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત…

પ્રતિપાદિત વિષયઃ યોગનિષ્ઠા તથા સાંખ્યનિષ્ઠા. મુખ્ય મુદ્દા         ૧.અભ્યાસ દ્વારા મનને કેન્દ્રિત કરી સુખ દુઃખથી પર થવું તે યોગદૃષ્ટિ છે. ર.આપાત રમણીય સુખોની પાછળ ભયંકર દુઃખો રહેલા છે તેને જોતા શીખવું તે સાંખ્યદૃષ્ટિ છે. વિવેચન :– આ વચનામૃતમાં મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે જે ભગવાનને વિશે અચળ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનમાં પ્રીતિનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.પ્રિયતમની મરજી પ્રમાણે વર્તે એ પ્રીતિનું લક્ષણ છે. ર.ભગવાનને રાજી કરવા ભગવાનનું સાંનિધ્ય દૂર કરવુ પડતું હોય તો તે પણ કરવું પણ મરજી ન લોપવી. વિવેચન :– આ વચનામૃત પ્રીતિનું વચનામૃત છે. આ વચનામૃતમાં સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. ભગવાનને વિષે પ્રીતિ હોય…

પ્રતિપાદિત વિષયઃ દયા અને સ્નેહ. મુખ્ય મુદ્દાઃ ૧.જેને સાધનકાળમાં સત્સંગનો યોગ હોય તેને બ્રહ્મરૂપ થયા પછી પણ ભગવાન અને તેના ભક્તોમાં દયા અને સ્નેહ રહે છે.ર.કુસંગનો યોગ હોય તો ભગવાન અને તેના ભક્તમાં દયા અને સ્નેહ રહેતાં નથી.૩.દયા અને સ્નેહ ભગવાન કે ભગવાનના ભક્ત પ્રત્યે થાય તો તે સદ્‌ગુણ છે.૪.દયા…

પ્રતિપાદિત વિષયઃ તપે કરીને ભગવાનને રાજી કરવા. મુખ્ય મુદ્દાઃ ૧.વિવેકી સાધુ હોય તેણે તપે કરીને ભગવાનને રાજી કરવાની ઈચ્છા રાખવી. ર.દરેકના અલગ ઈશક હોય છે. ભગવાનને રાજી કરવા ઈચ્છતા સંતોએ તપનો ઈશક રાખવો.(મહારાજની જેમ) ૩.મહારાજને સર્વ કર્તા માનવા. વિવેચન :– આ વચનામૃત તપે કરીને ભગવાનને રાજી કરવાનું છે. મહારાજના શરીરમાં…

પ્ર્રતિપાદિત વિષયઃ મનના સ્વભાવનું નિરૂપણ. મુખ્ય મુદ્દા         ૧.મન જીવ થકી જુદું નથી તેની જ કોઈ કિરણ છે. ર.જેવા વિષય તેવું બની જવું તેવો મનનો સ્વભાવ છે. ૩.મનમાં વિવેક રાખવો એ સંતનો સ્વભાવ છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે આજે અમે મનનું રૂપ વિચારી…

પ્રતિપાદિત વિષયઃ પાડાખાર પ્રકૃતિ અથવા અતિ વેરની ડંખીલી પ્રકૃતિ. મુખ્ય મુદ્દાઃ ૧.ખારીલી(ડંખીલી) પ્રકૃતિવાળાને સાધુ ન કહેવાય. ર.જો ભક્તને ભગવાનનો મહિમા સમજાય તો તે ડંખીલી પ્રકૃતિ નાશ પામે છે. વિવેચન :– આ વચનામૃતને પાડાખારનું વચનામૃત કહેવામાં આવે છે. પાડાઓની જાતમાં પોતાની જ્ઞાતિ પ્રત્યે અથવા બીજા પાડા પ્રત્યે તીવ્ર દ્વેષ અને વેર…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનું સંગણ – નિર્ગુણપણું. મુખ્ય મુદ્દાઃ ૧.સંગણપણું અને નિર્ગુણપણું એ તો ભગવાનનું ઐશ્વર્ય છે. ર.મનુષ્યાકાર, સચ્ચિદાનંદ એવા પ્રત્યક્ષ મહારાજ એ ભગવાનનું મૂળ રૂપ છે. ૩.ભગવાનના સંગણ – નિર્ગુણ ભાવને યથાર્થ જાણે તો તેને કાળ, કર્મને માયા બંધન કરતા નથી. વિવેચન :– આ વચનામૃત સંગણ નિર્ગુણ ભાવનું છે. અહીં…

પ્રતિપાદિત વિષયઃ વૈરાગ્ય ઉદય થયાનું કારણ. મુખ્ય મુદ્દાઃ ૧.જો સર્વે અહંતા–મમતા મૂકે તો ગૃહસ્થને પણ ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રહે. ર.સંત અને સત્‌શાસ્ત્રનાં વચને કરીને જેને ચટકી લાગે તેને વૈરાગ્ય ઉદય થાય. ૩.પરમાત્માની સાચી ઓળખાણને આત્યંતિક કલ્યાણ કહેવાય. વિવેચન :– આ વચનામૃતમાં બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો જે, હે મહારાજ…

પ્રતિપાદિત વિષયઃ મત્સર ટાળવો. મુખ્ય મુદ્દાઃ ૧.બીજાના સારામાં પોતાના અંતરમાં દાઝ થાય તેને મત્સર કહેવાય. ર.સ્ત્રી, ધન, સારું ભોજન અને માન એ મત્સર ઉપજવાના હેતુ છે. ૩.સંતને માર્ગે ચાલે, મત્સર ટાળવાનો દૃઢ નિરધાર કરે અને ભગવાન ને ભગવાનના ભક્ત માટે સર્વસ્વ કુરબાન કરી રાખે તો તેનો મત્સર ટળે છે. વિવેચન…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન મુખ્ય મુદ્દાઃ ૧.પોતાના એકાંતિક ભક્તોને લાડ લડાવવા તે અવતાર ધર્યાનું મુખ્ય પ્રયોજન. ર.ધર્મનું સ્થાપન અને અસુરોના નાશનું પણ પ્રયોજન. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન પૂછયો છે. ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં…

પ્રતિપાદિત વિષયઃ નિશ્ચિત ધ્યેયનું મહત્ત્વ. મુખ્ય મુદ્દો         ૧.મરીને ભગવાનના અક્ષરધામમાં જવું છે એવું દૃઢપણે ધ્યેય નક્કી કરવું. વિવેચન :– આ વચનામૃતની શરૂઆત મહારાજે કૃપા વાકયથી કરી છે. આ ધ્યેય નિશ્ચિત કરવા માટેનું વચનામૃત છે. મહારાજ કહે છે કે બે સેના સામસામે પરસ્પર લડવા તૈયાર થઈ હોય,…

પ્રતિપાદિત વિષયઃ મોક્ષમાર્ગના સર્વે અર્થ સિદ્ધ થયાનું. મુખ્ય મુદ્દાઃ ૧.વૈરાગ્યની દુર્બળતાએ જગતનું પ્રધાનપણું દૂર થતું નથી અને સત્સંગનું પ્રધાનપણુ થતું નથી.ર.સત્સંગમાં આવતાં જ સારું અંગ બંધાઈ જાય તો જગતનું પ્રધાનપણું મટી જાય અને ભગવાનનું પ્રધાનપણું રહે.૩.સાચા સદ્‌ગુરુમાં પરમાત્મા બુદ્ધિની નિષ્ઠા થાય તો પણ જગતનું પ્રધાનપણું દૂર થાય અને ભગવાનનું પ્રધાનપણું…

પ્રતિપાદિત વિષયઃ સાક્ષીનું જાણપણું. મુખ્ય મુદ્દાઃ ૧.જીવનું જાણપણું પણ સાક્ષીના જાણપણાને આધારિત છે. ર.સાક્ષી મૂર્તિમાન થકા પણ વ્યાપક બની શકે. વિવેચન :– આ વચનામૃત સાક્ષીના જાણપણાનું વચનામૃત છે. મહારાજની પ્રેરણાથી ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછયું. આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે ? ત્યારે સ્વામીએ…