Browsing CategoryVachnamrut Chintan

પ્રતિપાદિત વિષયઃ ૧. દૈવી–આસુરી જીવ. ર. ભગવાનનું અન્વય–વ્યતિરેકપણું. મુખ્ય મુદ્દાઃ ૧.આસુરી જીવ દૈવી ન જ થાય. ર.ભગવાન અન્વય થકા સદા વ્યતિરેક જ છે. વિવેચન :– હરિભક્તો પરસ્પર ભગવદ્‌વાર્તા કરતા હતા. તેમા દૈવી આસુરીનો પ્રસંગ નીસર્યો કે દૈવી હોય તે ભગવાનનો ભકત જ થાય અને આસુરી હોય તે ભગવાનથી વિમુખ જ…

પ્રતિપાદિત વિષયઃ મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો. મુખ્ય મુદ્દો ૧.મહારાજ, અક્ષરધામ, મહાપુરુષ–મહામાયા, પ્રધાન–પુરુષ, વિરાટ, બ્રહ્મ …ક્રમથી સૃષ્ટિ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ પ્રાગજી દવે પાસે શ્રીમદ્‌ભાગવતમાં રહેલી કપિલ ગીતાની કથા કરાવતા હતા. કથા પૂરી થતાં મહારાજે અધ્યાત્મ તત્ત્વોની કથા કહી. પરમાત્મા શ્રીજી મહારાજ પોતાના ધામમાં અનંત અક્ષરાત્મક મુક્તો…

પ્રતિપાદિત વિષયઃ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિ એ ચારેના ઉપજ્યાના હેતુ. મુખ્ય મુદ્દાઃ વિવેચનમાં જ જુઓ. ૧. લક્ષણ ધર્મ : ધરતિ ધારયતિ વા લોકાન્‌ઈતિ ધર્મઃ ।         ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિત : ।         ચોદના લક્ષણો અર્થો ધર્મઃ । વૈરાગ્ય : વૈરાગ્યમ્‌જ્ઞેયમપ્રીતિઃ શ્રીકૃષ્ણેતરવસ્તુષુ । જ્ઞાન : જ્ઞાનં ચ જીવમાયેશરૂપાણાં સુષ્ઠુ વેદનમ્‌। ભક્તિ…

પ્રતિપાદિત વિષયઃ જીવ અને મનની મિત્રતા. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનની ભક્તિ કોઈ ઉપર ઈર્ષ્યાથી ન કરવી.ર.લોકોને દેખાડયા સારુ ભક્તિ ન કરવી.૩.ભક્તિ પરમાત્માને રાજી કરવા, પોતાના કલ્યાણ માટે કરવી.૪.ભક્તિ કરતાં કોઈ અપરાધ પ્રવૃત્તિ થાય તો બીજાનો વાંક ન કાઢવો પણ પોતાનો જ વાંક સમજવો. વિવેચન :– આ વચનામૃત જીવ અને મનની મિત્રતાનું…

પ્રતિપાદિત વિષયઃ જીવમાંથી જગતના પંચવિષય દૂર કરવા. મુખ્ય મુદ્દા         ૧. જ્યારે ત્યારે પણ ઈન્દ્રિયો દ્વારે જ વિષય જીવમાં પ્રવેશ કરે છે. માટે તેને નિયમમાં કરવા.ર. પ્રથમથી જીવમાં પ્રવેશેલા વિષયને દૂર કરવા આત્મવિચાર અને ભગવાનના મહિમાનો વિચાર કરવો. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જેને…

પ્રતિપાદિત વિષયઃ સોનું અને સ્ત્રી અતિ બંધનકારી છે. મુખ્ય મુદ્દા         ૧.સોનું અને સ્ત્રી ગમે તેવા ધીરજવાનની ધીરજને ખતમ કરી દે છે. ર.જેને પરમાત્માનો સાચો સેવક થવાની દૃઢ ઝંખના જાગે તે જ તે બેના બંધનથી મુકાઈ શકે છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે શ્રીમદ્‌ભાગવતાદિ…

પ્રતિપાદિત વિષયઃ વિવિધ. મુખ્ય મુદ્દાઃ વિવિધ વિષયોની ચર્ચા થઈ છે. વિવેચન :– ડાહ્યાને સંતનો અવગુણ કેમ આવે છે ? તેના ઉત્તરમાં મહારાજ કહે છે કે જે ડાહ્યો હોય તેને પોતાનામાં અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો હોય અને તેની ઉપર પોતે અતિ દ્વેષબુદ્ધિ રાખીને દ્વેષસહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખડો કરતો હોય, તે…

પ્રતિપાદિત વિષયઃ કાળ, કર્માદિકની સત્તા કેટલી ? મુખ્ય મુદ્દાઃ ૧.સર્વસ્વ સત્તા પરમાત્માની છે. ર.કાળ, કર્મ ભગવાનની ઈચ્છાને પામીને ફળ આપે છે. ૩.ભગવાન જીવના પૂર્વકર્મને જોઈને દેહ આપતા હોવાથી વિચિત્રતા જીવના કર્મનું ફળ છે. તેમાં ભગવાનની નિર્દયતા કે વિચિત્રતા નથી. વિવેચન :– આ વચનામૃતમાં વડોદરાના ચીમનરાવજીએ પ્રશ્ન પૂછયો. હે મહારાજ, જીવ…

પ્રતિપાદિત વિષયઃ દૃઢ આશ્રયનું સ્વરૂપ. મુખ્ય મુદ્દાઃ ૧.જે કાંઈ ઈચ્છે તે ભગવાન થકી ઈચ્છે બીજા થકી નહિ. ર.આશ્રયમાં ઢીલાશ હોય તે ભક્તનો ઘસારો ખમી ન શકે. ૩.ઉત્તમ ભક્તની ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન સરખી માનસી પૂજા કરવાથી સો જન્મે ઉત્તમ થવાનો હોય તો આ જ જન્મે ઉત્તમ થાય છે. વિવેચન :–…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનના સ્વરૂપમાં જેનું મન અતિ આસક્ત થયું હોય તેનાં લક્ષણ. મુખ્ય મુદ્દા         ૧.દેહાદિકની આસક્તિને ઉલ્લંઘીને ભગવાનમાં આસક્તિ કરવી. ર.પરમાત્માના એકાંતિક સંતની સેવાથી ભગવાનમાં આસક્તિ થાય છે. વિવેચન :– આ વચનામૃત ભગવાનમાં અતિ આસક્તિનું છે. મહારાજ કહે કે જે ભક્તનું ચિત્ત ભગવાનની મૂર્તિને વિશે અતિ…

પ્રતિપાદિત વિષયઃ જીવના આત્યંતિક કલ્યાણના જ્ઞાનનો ઉપાય. મુખ્ય મુદ્દાઃ ૧.જ્ઞાનથી મુક્તિ થાય છે. ર.જ્ઞાન પરમાત્મા વિષયક હોવુ જોઈએ. ૩.જ્ઞાન ઈન્દ્રિય, અંતઃકરણ અને અનુભૂત (અનુભવ પહોંચેલું) હોવું જોઈએ. ૪.જ્ઞાન ભક્તિમાં પરિણામ પામેલું હોવું જોઈએ. વિવેચન :– આ વચનામૃત ઈન્દ્રિય, અંતઃકરણ અને અનુભવ પહોંચ્યાનું છે. જીવાત્માની મુક્તિનું કારણ જ્ઞાન છે કે ભક્તિ…

પ્રતિપાદિત વિષયઃ ભક્તની જીવન દોરી. મુખ્ય મુદ્દા         ૧.ભગવાનના ખરેખરા ભક્તનો અવગુણ ન આવવો. ર.ભગવાનના ભક્તના દ્રોહી ઉપર રીસ ન ઉતરવી. વિવેચન :– આ વચનામૃત જીવનદોરીનું છે. આ વચનામૃતમાં મહારાજે પોતાની પ્રકૃતિ કેવી છે તે સ્પષ્ટ કરી છે. વચનામૃતની શરૂઆતમાં પ્રાગજી દવેએ કહ્યું કે શ્રીમદ્‌ભાગવત જેવો કોઈ…

આ વચનામૃતમાં અનેક પ્રશ્નો છે તેથી વિવિધ વિષયો તથા મુદ્દાઓની ચર્ચા થઈ છે. વિવેચન :– સત્સંગ થયા પછી દુર્લભ સાધન.. સત્સંગ થયા પછી દુર્લભ સાધન શું છે ? તો મહારાજ કહે છે તેમાં એકાંતિકપણું આવે તે દુર્લભ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત ભક્તિ, એકાંતિકપણું છે તે દુર્લભ છે. સામાન્યપણે આપણા…

પ્રતિપાદિત વિષયઃ મોહ નિવૃત્તિના ઉપાયનું નિરૂપણ. મુખ્ય મુદ્દા         ૧. મોહની લાક્ષણિકતા.ર. મોહ ટાળવાનાં સાધનો – ઉપાયો. વિવેચન :– આ વચનામૃતમાં સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : હે મહારાજ, મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે ? તેના ઉત્તરમાં મહારાજે પ્રથમ મોહનું…

પ્રતિપાદિત વિષયઃ અંતરમાં મલિન આશય ન રહે તો જ મોટા રાજી થાય છે. મુખ્ય મુદ્દા         ૧.સ્વભાવને દબાવવા પ્રબળ સંસ્કાર જોઈએ. ર.ગરીબની આગળ અવળાઈ કરે તે ભગવાન સામે પણ અવળાઈ કરે ખરો. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મુકતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો : તમારે ક્રોઘ શે નિમિત્તે…

પ્રતિપાદિત વિષયઃ આ વચનામૃતમાં અનેક પ્રશ્નો છે. તેથી વિવિધ વિષયો તથા મુદ્દાઓની ચર્ચા થઈ છે. વિવેચન :– અહીં મહારાજે કપટ અને દંભ કોને કહેવાય અને કપટી અને દંભી કેમ ઓળખાય તે સંતોને પોતે જ પ્રશ્ન પૂછીને ચર્ચા કરી છે. પોતાની નબળાઈઓ અને મલિનતાને યુક્તિ–પ્રયુક્તિ કરીને ઢાંકવી તેને કપટ કહેવાય અને…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિ અંતરમાં ધારવાનો યોગાભ્યાસ. મુખ્ય મુદ્દાઃ ૧.ત્રીસ લક્ષણે યુક્ત સંતના સંગમાં સર્વે સાધનનો સમાવેશ થઈ જાય છે. ર.ભગવાનની મૂર્તિ પ્રથમ સમગ્રપણે ધારવાનો પ્રયાસ કરવો. દરેક ઈન્દ્રિયોના વિષય માધ્યમથી ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવાનો અભ્યાસ કરવો. ૩.જીવમાં મૂર્તિ ધારવાથી જીવમાં રહેલાં રાગ–દ્વેષ, વાસના નાશ થાય છે. વિવેચન :– આ…

પ્રતિપાદિત વિષયઃ સત્સંગમાં મોટેરો કરવા યોગ્ય કોણ ? મુખ્ય મુદ્દાઃ ૧.ઈષ્ટદેવ પ્રત્યે અસાધારણ ભક્તિવાળા જે મહાપુરુષ છે તે સંપ્રદાયમાં મોટેરા કરવાને યોગ્ય છે. ર.મોટેરા ચાર પ્રકારના છે–દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનળ જેવા. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે જ આગેવાન સંતો તથા ભક્તોને પ્રશ્ન પૂછયો છે જે આપણા…

પ્રતિપાદિત વિષયઃ બધા જ બ્રહ્માંડમાં ભગવાનની મૂર્તિનું તથા કલ્યાણની રીતનું સ્વરૂપ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનની મૂર્તિ એક છે. ભકતો અનેક છે. ર.કલ્યાણની સ્થિતિ એક છે. માર્ગ અનેક છે. ૩.મૂંઝાઈને, રીસ કરીને પ્રેમ ન કરવો. વિવેચન :– આ વચનામૃતમાં અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે અનંતકોટિ બ્રહ્માંડ છે. બ્રહ્માંડોને વિષે…

પ્રતિપાદિત વિષયઃ કઈ ભક્તિમાં વિધ્ન નડે અને કઈ ભક્તિમા વિધ્ન ન નડે. મુખ્ય મુદ્દાઃ ૧.માહાત્મ્ય સહિત ભક્તિમાં વિધ્ન આવતું નથી.ર.શુક સનકાદિક જેવા મોટા પુરુષની સેવા અને પ્રસંગથી માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે.૩.ભક્તિ કરવામાં નિર્દોષતા કરતાં પણ ઈષ્ટદેવમાં અનન્યગતિકતા વધુ મહત્ત્વની છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન…

પ્રતિપાદિત વિષયઃ ભક્તિમાં અતરાય કરે તેવા સદ્‌ગુણોને પણ ગૌણ કરવા. મુખ્ય મુદ્દા         ૧.ભગવાન તથા ભક્તોને ન ગમે તે ન કરવું, ગમે તેમ કરવું. ર.શિખામણના શબ્દો સવળાં કરીને ધારવા. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કૃપા કરીને ભક્તોને કહે છે કે ભગવાનના ભક્ત હોય તેણે ભગવાન અને…