Browsing CategoryVachnamrut Chintan

પ્રતિપાદિત વિષયઃ સંગણ–નિર્ગુણપણું અક્ષરને વિષે છે. મુખ્ય મુદ્દો : ૧.ભગવાન સંગણ પણ નથી નિર્ગુણ પણ નથી. વિવેચન :– આ વચનામૃતમાં ભગવદાનંદ સ્વામીએ મહારાજને પૂછયું, જે હે મહારાજ ! ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે ? તે ભાગવતમાં બ્રહ્માજીની સ્તુતિમાં બ્રહ્માજીએ કહ્યું…

પ્રતિપાદિત વિષયઃ નિષ્ઠા–પરમકલ્યાણ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન અને સાચા સતની સાચા મહિમા સહિતની ઓળખાણને નિષ્ઠા કહેવાય છે.ર.સાચી નિષ્ઠા થવી તે પરમ કલ્યાણ ગણાય છે. વિવેચન :– આ વચનામૃત ભગવાનમાં નિષ્ઠા બતાવનારું વચનામૃત છે. આ વચનામૃતને જૂના સંતોએ પરમ કલ્યાણનું વચનામૃત કહ્યું છે. કલ્યાણના માર્ગમાં બે વસ્તુ સમજવાની છે. એક મુક્તિ અને…

પ્રતિપાદિત વિષયઃ વિક્ષેપ ટાળવાની સમજણના ઉપાય મુખ્ય મુદ્દાઃ ૧.આત્મનિષ્ઠા, વિષયનું તુચ્છપણું તથા ભગવાનના મહિમાના અનુસંધાનથી વિક્ષેપ નડતો નથી. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ શ્રીજી મહારાજે પ્રશ્ન ઉત્તર કરવાની પ્રેરણા કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે આ સંસારને વિષે કેટલીક જાતના(અનંત જાતના) વિક્ષેપ આવે છે તેમા કેવી રીતે ભગવાનનો ભક્ત…

પ્રતિપાદિત વિષયઃ માનનો ત્યાગ કરવો. મુખ્ય મુદ્દા : ૧.માનમાંથી જીવને સ્વાદ આવે છે એવો તો કયાંયથી આવતો નથી. ર.ભગવાન અને તેના ભક્તોને રાજી કરવા સેવા કરવી પણ કોઈ વખાણે તે સારુ ન કરવી. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કૃપાવાકયથી શરૂઆત કરી છે. મહારાજ કહે છે કે જેને પરમેશ્વર પાસે…

પ્રતિપાદિત વિષયઃ સમયાનુસાર માનસી પૂજા કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.પોતાના મનમાં ગમતા પદાર્થોથી ભગવાનની માનસી પૂજા કરવી. ર.ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય અથવા વઢે તો પણ પોતાનાં ભાગ્ય માનવાં ને રાજી થકા સેવા ભજન કરવું. વિવેચન :– આ વચનામૃત માનસી પૂજાનું વચનામૃત છે. ભગવાનની મૂર્તિમાં હેત વધારવા માટે માનસી પૂજા…

પ્રતિપાદિત વિષયઃ પ્રેમલક્ષણા ભક્તિ પરિશુદ્ધ ભાવથી કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.રસિક ભક્તિમાં પ્રથમ ભાવની–આશયની શુદ્ધિથી ભક્તિ કરવી. ર.ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. વિવેચન :– મહારાજની આગળ પ્રેમભક્તિના કીર્તન ગવાતાં હતાં તે સાંભળીને મહારાજે વાત કરી. આ કીર્તનોમાં પ્રેમભક્તિનું જે પ્રકારનું અગ કહ્યું એવું અંગ ઝીણાભાઈનું છે તથા તેવાં અંગ પર્વતભાઈ ને…

પ્રતિપાદિત વિષયઃ પાકા સત્સંગીના લક્ષણઃ નિયમ, નિશ્ચય અને પક્ષ. મુખ્ય મુદ્દાઃ ૧.નિયમ, નિશ્ચય અને પક્ષ રાખે તે જ પાકો સત્સંગી કહેવાય.ર.સત્સંગને અર્થે સર્વસ્વ સમર્પણ કરી શકે તે મોટેરો સત્સંગી. વિવેચન :– આ વચનામૃતમાં પાકો સત્સંગી કોને કહેવો તથા મોટેરો સત્સંગી કોને કહેવો તેનાં લક્ષણો કહ્યા છે. મહારાજ કહે જેમાં ત્રણ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનના અવતારનું પ્રયોજન તથા એકાંતિક ધર્મ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન પોતાના એકાંતિક ભક્તના ધર્મ– ભાગવત ધર્મ પ્રવર્તાવવા માટે અવતાર લે છે. ર.જેને ભગવાનના ભક્તમા સમર્પણ નથી તેનો સત્સંગ જરૂર ઢીલો પડી જશે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે. ભગવાનની જે ભક્તિ છે તેણે…

પ્રતિપાદિત વિષયઃઆત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસભાવઃ ત્રણ અંગો. મુખ્ય મુદ્દાઃ ૧.આ ત્રણ અગ વિના જીવવું આત્યંતિક કલ્યાણ કોઈ રીતે થતું નથી.ર.જ્યારે આ જીવને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થાય ત્યારે આ જીવ કૃતાર્થ થઈ રહ્યો છે. વિવેચન :– અહીં પ્રથમ અયોધ્યાપ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછયો કે આ સંસારમાં એવો પુરુષ હોય જે આઠો…

પ્રતિપાદિત વિષયઃ સ્વભાવની ઓળખાણ. મુખ્ય મુદ્દાઃ ૧.જીવ સાથે એકરસ થયેલા બહિર્મુખ કર્મોને સ્વભાવ કહેવાય છે. ર.ભગવાનની ભક્તિ સહિત આત્મનિષ્ઠા હોય તેનાથી તે સ્વભાવ જીતાય છે. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછયો જે હે મહારાજ, કાળ તો ભગવાનની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યા હોય તે છે,…

પ્રતિપાદિત વિષયઃ એક દંડવત પ્રણામ અધિક કરવો. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનના ભક્તના દ્રોહે કરીને આ જીવનું જેવું ભૂંડું થાય છે તથા કષ્ટ થાય છે તેવું બીજા કોઈ પાપે કરીને થતું નથી. ર.ભગવાનના ભક્તની સેવા કરવાથી આ જીવનું રૂડું થાય છે તેવું બીજા કોઈ સાધનથી થતું નથી. ૩.અપરાધ માફ કરાવવા નિયમથી એક…

પ્રતિપાદિત વિષયઃ ત્યાગાશ્રમીના કુલક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧.ત્યાગી થઈને સંબંધીમાં હેત રાખવું તથા કામના રાખવી તે મોટું કુલક્ષણ છે. ર.પોતાના સેવકમાં પણ અતિ હેત ન રાખવું. વિવેચન :– આ વચનામૃતમાં ત્યાગીના કુલક્ષણની વાત કરી છે. મહારાજે વાત કરી જે જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે ત્યાગી, તેને બે કુલક્ષણ છે.…

પ્રતિપાદિત વિષયઃ વાસના જીર્ણ થયાનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.જીવ જેટલો પ્રીતિપૂર્વક ભગવાનમા અથવા તેના એકાંતિક ભક્તમાં જોડાય તેટલી વાસના જીર્ણ થાય છે, છૂટે છે. ર.વાસના છૂટયા પછી પણ પરમેશ્વરની આજ્ઞા અથવા નવધા ભક્તિ નિભાવવા ઘટિત દેહાભિમાન રહે છે. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછયો છે. જેવી જાગ્રત…

પ્રતિપાદિત વિષયઃ સ્વાભાવિક ગુણનું પ્રવર્તન તથા દશમ અને પંચમ સ્કંધનું રહસ્ય. મુખ્ય મુદ્દાઃ ૧.મોટેરામાં નિષ્કામી વ્રત ખાસ જોઈએ. ર.પરોક્ષપણે જે ભગવાનને ગાયા છે તે જ આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે એમ માનવું તે દશમ સ્કંધનું રહસ્ય છે. ૩.જો ભગવાને બાંધેલ મર્યાદા લોપે તો ગમે તેવા મોટાની પણ અધોગતિ થાય છે…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનના માર્ગમાં બળ પ્રાપ્તિના ઉપાયો. મુખ્ય મુદ્દાઃ ૧.સત્તારૂપે રહેતાં રહેતાં જીવમાં વિવેકબળ આવે છે.ર. ભગવાન તથા ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ બળ પામવાનો મોટો ઉપાય નથી.૩.ભગવાનના ભક્તની સેવા કરવાથી જીવમાં તત્કાળ બળ પમાય છે. વિવેચન :– આ વચનામૃત વિવેકબળની પ્રાપ્તિનું છે. મુક્તાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ…

પ્રતિપાદિત વિષયઃ વાસુદેવમાં પ્રવેશ થવો એટલે શું ? મુખ્ય મુદ્દા         ૧.ભગવાનમાં અતિ આસક્તિ થવી તેને પ્રવેશ થયો કહેવાય. ર.જેમ જળમાં જળ મળી જાય તે પ્રવેશ નથી. વિવેચન :– આ વાસુદેવ ભગવાનમાં પ્રવેશનું વચનામૃત છે. જગત પ્રવેશ, દેવતાન્તર પ્રવેશ અને મહારાજમાં પ્રવેશ કેમ થાય અથવા પ્રવેશ એટલે…

પ્રતિપાદિત વિષયઃ અવતાર–અવતારી ભેદ. મુખ્ય મુદ્દાઃ ૧.વ્યાસજીએ કરેલા શાસ્ત્રોને આધારે બધા અવતાર સરખા નથી. તે જ માપદંડને આધારે મહારાજ બીજા અવતાર જેવા નથી પણ અવતારી છે. ર.સૃષ્ટિ કરવામાં ભગવાનને દાખડો કરવો પડતો નથી એ તો લીલા છે. વિવેચન :– આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે ભગવાનના જે અવતાર છે…

પ્રતિપાદિત વિષયઃ પ્રકૃતિ ટાળવાનો ઉપાય. મુખ્ય મુદ્દો         ૧.પ્રકૃતિ ટાળવા માટે સત્પુરુષમાં વિશ્વાસ, પ્રીતિ, ગરજ અને ધીરજ જોઈએ. વિવેચન :– આ પ્રકૃતિ ટાળ્યાનું વચનામૃત છે. મહારાજે ગીતા વચન… સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ । પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ।। – નો ઉલ્લેખ કરીને કહ્યું, જે જ્ઞાની…

પ્રતિપાદિત વિષયઃ અખતર ડહાપણ. મુખ્ય મુદ્દાઃ ૧.અલ્પબુદ્ધિ જીવ પોતાની કલ્પના પરમાત્માને વિષે કરે છે.ર.ભગવાનની ભક્તિ રહિતના સર્વ ગુણ તે નકારા થઈ જાય છે. વિવેચન :– આ વચનામૃત છે તે ‘અખતર ડાહ્યા’નું વચનામૃત છે. પોતાની ક્ષુદ્ર બુદ્ધિને ભગવાનનો મહિમા સમજવામાં નહિ આવવાથી ભગવાનનો અવગુણ લેવાય છે તેને માટે મહારાજે આ વચનામૃતમાં…

પ્રતિપાદિત વિષયઃ ભરતજીનું ચમત્કારી આખ્યાન. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનના ભક્તએ ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. ર.આ આખ્યાનનું અનુસંધાન રાખી જે પ્રકારે ભગવાનમાં અખંડવૃત્તિ રહે તેવો પ્રયત્ન કરવો. વિવેચન :– આ વચનામૃત ભરતજીના ચમત્કારી આખ્યાનનું છે. શ્રીજી મહારાજ કહે છે કે શ્રીમદ્‌ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન…

પ્રતિપાદિત વિષયઃ પતિવ્રતાની ટેકથી પરમાત્મામાં પ્રીતિ કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને વિષે પતિવ્રતાની ટેકથી પ્રીતિ કરવી. ર.વ્યભિચારિણીના જેવી ભક્તિ ન કરવી. વિવેચન :– આ વચનામૃત પતિવ્રતાની ટેકનું વચનામૃત છે. પતિવ્રતા નારીનો પતિ અતિ ગુણવાન અથવા ઐશ્વર્યવાન કે સત્તાવાન હોય તો જ પતિવ્રતામાં દૈવત આવે છે…