Browsing CategoryVachnamrut Chintan

પ્રતિપાદિત વિષય : ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમા તથા સંત તેમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનની પ્રતિમા તથા સંતમાં જેને આસ્તિકતા નથી તેને ભગવાનના સ્વરૂપમાં પણ આસ્તિકતા નથી એમ જાણવું. ર. જેને પ્રત્યક્ષ સાધનમાં આસ્તિકતા નથી તેને સાધ્યમાં પણ વિશ્વાસ નથી એમ જાણવું. વિવેચન :–…

પ્રતિપાદિત વિષય : મુમુક્ષુએ સત્પુરુષના ગુણ આવ્યાની સમજણ કેળવવી. મુખ્ય મુદ્દો : સત્પુરુષમાં દિવ્ય બુદ્ધિ રાખી પોતાની અલ્પતાનો પરિતાપ કરે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે સંતો પ્રત્યે પ્રશ્ન પૂછયો કે કોઈક એવા સત્પુરુષ છે કે જેને આ લોકમાં તો કયાંય પ્રીતિ નથી અને ભગવાનના…

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગની રાજનીતિ. મુખ્ય મુદ્દા ૧.ભગવાનના માર્ગમાં પોતે પોતાના ગુરુ થવું. ર.નબળા આશયનો ત્યાગ કરી સાચો પ્રયત્ન કરવો. વિવેચન :– આ વચનામૃત રાજનીતિનું છે. સત્તાનો દોર હાથમાં કેવી રીતે લેવો! તે હાથમાં લેવા માટે શું ક્રિયા–પ્રતિક્રિયા કરવી ! તથા સત્તાદોર હાથમાં આવ્યા પછી ચિરસ્થાયી આપણા જ હાથમાં ટકી…

પ્રતિપાદિત વિષય : શાસ્ત્રછળનો ભેદ ઉકેલવો. મુખ્ય મુદ્દા : ૧. ભગવાન સાકાર છે તે પણ દિવ્ય સાકાર છે. ર. ભગવાનને નિરાકાર કહૃાા છે તે માયિક આકારના નિષેધ માટે અને નિર્ગુણ કહૃાા છે તે માયિક ગુણના નિષેધ માટે કહૃાા છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ ભાગવતનું દૃષ્ટાંત દઈને શાસ્ત્રોની વાત…

પ્રતિપાદિત વિષય : આકાશની ઉત્પત્તિ ને લય તથા ભગવાનને વિષે રહેલી જ્ઞાનાદિ શકિતઓ. મુખ્ય મુદ્દા : ૧. પાંચ ભૌતિક આકાશ અને ચિદાકાશ અલગ અલગ છે. ર. ચિદાકાશનો ઉત્પત્તિ–લય નથી. ૩. ભગવાનની જ્ઞાનાદિ શક્તિઓનું આલંબન કરીને જીવમાં તે તે શક્તિઓ સક્રિય બને છે. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં પ્રશ્ન છે કે આકાશની…

પ્રતિપાદિત વિષય : શરીર–શરીરીમાં વિલક્ષણપણું શું છે ? મુખ્ય મુદ્દા : ૧. વ્યાપ્ય, આધીન અને અસમર્થપણાથી આત્મા શરીર બને છે. ર. વ્યાપક, સ્વતંત્ર અને સમર્થપણાથી ભગવાન શરીરી બને છે. વિવેચન :– આ વચનામૃતમાં ખાસ કરીને ભગવાન અને જીવ, જગત વચ્ચેનો શરીર–શરીરી સંબંધ છે તે વિષે વાત કરી છે. ભગવાન શરીરી…

પ્રતિપાદિત વિષયઃ કર્મની નિર્બંધકતા અને બંધકતા. મુખ્ય મુદ્દો ૧.કર્મ જો ભગવાનને અર્થે અથવા તેના સાચા ભક્તને અર્થે થાય તો તે બંધનકર્તા નહીં પણ બંધનહર્તા છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે ભારત, રામાયણ, પુરાણ કે સ્મૃતિ ગ્રંથોને સાંભળીને કેટલાક જીવ તેને ધર્મ, અર્થ ને કામપર જાણે છે. એટલે…

પ્રતિપાદિત વિષય : ભગવાનનો તત્ત્વે કરીને નિશ્ચય. મુખ્ય મુદ્દા : ૧. મહિમા જાણવે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. ર. સૃષ્ટિના માધ્યમથી ભગવાનનો મહિમા સમજી શકાય છે. ૩. પકવ નિશ્ચયવાળો ભગવાનને રાજી કરવા અતિ પુરુષાર્થ કરે, પોતાના સ્વભાવ મૂકે અને પોતાનો અવગુણ લે. વિવેચન :– આ વચનામૃતમાં નૃસિંહાનંદ સ્વામીએ પૂછયું :…

પ્રતિપાદિત વિષય : ભકતમાં ભગવાનના સત્ય, શૌચાદિક ગુણ આવવાનાં કારણો. મુખ્ય મુદ્દો : ભગવાનનો નિશ્ચય હોય તો પણ જો તેને સાચા ભક્તોમાં ભાવના ન હોય ને તેની સાથે દુર્વ્યવહાર કરે તો ગુણ આવવાના નથી.ઉલ્ટો આસુરી ભાવ આવે છે. વિવેચન :– આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે સત્ય, શૌચાદિક ઓગણચાલીસ…

પ્રતિપાદિત વિષયઃ સાકાર નિશ્ચયનું જતન તથા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનાં લક્ષણો. મુખ્ય મુદ્દા ૧.શાસ્ત્રમાં ઊંડો પ્રવેશ કરતાં પહેલાં સદ્‌ગુરુ પાસેથી પરમાત્માનો સાકારપણે દૃઢ નિશ્ચય કરવો. ર.જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેમાંથી ભગવાનમાં જોડવા માટે ભક્તિમાં વધારે દૈવત છે. વિવેચન :– આ વચનામૃતના પ્રથમ ભાગમાં મહારાજે કલ્યાણરૂપ ફળને પ્રાપ્ત કરવા માટે તેના…

પ્રતિપાદિત વિષય : ધીરજ ન ડગે તેના ઉપાયો. મુખ્ય મુદ્દા : ૧. આત્મનિષ્ઠાથી આ લોકના સંકટ તરી જવાય છે. ર. મૃત્યુરૂપી સંકટ તરવા ભગવાનના અચળઆશ્રયની જરૂર રહે છે. ૩. મૃત્યુ પહેલા ને પછીના સંકટ અને પ્રલોભનો તરવા માટે ભગવાનની દૃઢ ઉપાસનાની ટેક શ્રેષ્ઠ ઉપાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદસ્વામીએ…

પ્રતિપાદિત વિષય : વાસના ટાળવી એ મોટું સાધન, વાસના ટાળવાના ઉપાય. મુખ્ય મુદ્દા : ૧. વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે.ર. ભગવાન સંબંધી અને જગત સંબંધી બન્ને વાસનાને તપાસતો જાય ને જગત વાસનાને ઓછી કરતો જાય તો તેની વાસના દૂર થાય છે.૩. નિર્વાસનિક પુરુષનો સંગ રાખવો. વિવેચન :– પ્રસ્તુત…

પ્રતિપાદિત વિષયઃ હૃદયમાં પ્રવર્તતા યુગના ધર્મનું કારણ શું ? મુખ્ય મુદ્દાઃ ૧. યુગધર્મ પ્રવર્તવાનુ કારણ સત્ત્વાદિ ગુણ છે. ર. ગુણની પ્રવૃત્તિનું કારણ કર્મ છે. ૩. જેને ભગવાન અને સંતના વચનમાં અતિ વિશ્વાસ હોય તેના ગમે તેવાં તામસી કર્મો હોય તેનો નાશ થઈ જાય છે.         વિવેચન :–…

પ્રતિપાદિત વિષય : ભક્તના અતરમાં વિક્ષેપ કરનારા કોણ છે ? મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના ભક્તના અંતરમાં વિક્ષેપ કરનારા દેહ, કુસંગ અને પૂર્વસંસ્કાર છે. ર. પૂર્વસંસ્કાર મહા મહેનતે દૂર થાય છે. ૩. મોટા પુરુષ જેના ઉપર રાજી થાય તેના ભૂંડા પૂર્વ સંસ્કાર દૂર થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની…

પ્રતિપાદિત વિષય : મોક્ષનું અસાધારણ કારણ. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાન એ મોક્ષનાં અસાધારણ કારણ છે. ર. જેવી કુટુંબીમાં પ્રીતિ છે તેવી ભગવાનમાં થાય તો તે પણ મોક્ષનું કારણ બની જાય. ૩. કુટુંબી જેટલી ભગવાનમાં પ્રીતિ નથી માટે કામ–ક્રોધાદિ સ્વભાવો નડે છે. વિવેચન :–…

પ્રતિપાદિત વિષયઃ ઈર્ષ્યાનું રૂપ. મુખ્ય મુદ્દાઃ ૧. જેના હૃદયમાં ઈર્ષ્યા હોય તે કોઈની પણ પ્રગતિ દેખી ન શકે. ર. માનમાંથી ઈર્ષ્યા જન્મે છે. વિવેચન :– આ વચનામૃત ઈર્ષ્યાનું વચનામૃત છે. ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે ઈર્ષ્યાનું શું રૂપ છે ? ત્યારે મહારાજ કહે કે જેના હૃદયમાં માન હોય તે…

પ્રતિપાદિત વિષય : ભાગવતધર્મનું પોષણ અને મોક્ષનું દ્વાર ઉધાડુ કેમ થાય ? મુખ્ય મુદ્દા : ૧. ભગવાન પાસે પહોંચવાના ઉપાયોને ભાગવતધર્મ કહેવાય છે. ર. એકાંતિક સંતથી તે માર્ગનું પોષણ થાય છે. ૩. જગત આસક્તિ એ મોક્ષમાર્ગ માટે દ્વારબંધી છે. ૪. ભગવાન અને સંતમાં આસક્તિ થાય એટલે મોક્ષના દ્વાર ખુલ્યા કહેવાય…

પ્રતિપાદિત વિષય : ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણવા. મુખ્ય મુદ્દા : ૧. જે શાસ્ત્રની જે વાતમાં મુખ્યતા હોય તે વિષયના જ્ઞાનમાં તેનું ગ્રહણ કરવું. ર. ચારેય શાસ્ત્રોનું સંકલન કરીને ભગવાનનો મહિમા સમજવો. વિવેચન :– શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં મોક્ષધર્મની કથા વંચાવતા હતા. તેમાં એમ આવ્યું કે સાંખ્ય, યોગ, વેદાંત અને…

પ્રતિપાદિત વિષયઃ આધ્યાત્મિક દૃષ્ટિથી નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે શુ ? (અથવા કયા સ્થાનને ગણાય ?) મુખ્ય મુદ્દાઃ ૧. મનોમય ચક્રની ધારા જે ઈન્દ્રિયો જ્યાં બૂઠી થઈ જાય તે સ્થાનને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. ર. ભગવાનના સાચા સત્પુરુષોના સાંનિધ્યમાં આધ્યાત્મિક નૈમિષારણ્ય ક્ષેત્ર રહેલું હોય છે. ૩. નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરેલી પરમાત્માની સાધના કે પુણ્યકર્મ…

પ્રતિપાદિત વિષય : ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. મુખ્ય મુદ્દો : મહારાજ આપણા અંતરમાં રહીને પોતાનો નિશ્ચય કરાવે છે. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં પૂર્ણાનંદસ્વામીનો પ્રશ્ન છે : દસ ઈન્દ્રિયો રજોગુણની છે ને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણનાં છે. માટે સર્વે ઈન્દ્રિયો ને અંતઃકરણ તે તો માયિક છે…

પ્રતિપાદિત વિષય : બુદ્ધિ ભેદ અને તેની કુશાગ્રતા. મુખ્ય મુદ્દો : આત્મકલ્યાણનો માર્ગ સૂઝે તે બુદ્ધિની સાચી કુશળતા. વિવેચન :– આ વચનામૃત કુશાગ્રબુદ્ધિનું છે. મહારાજ કહે જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની(પરમાત્માની) પ્રાપ્તિ થાય છે. ‘દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ'(કઠોપ. ૧૩૧૧) એમ કહ્યું છે. તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય…