Browsing CategoryKaryani

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનો નિશ્ચય. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાન મારા છે ને હું ભગવાનનો છું એવો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવો તે નિશ્ચય છે. ર. પ્રથમ ઈન્દ્રિયોમાં, પછી અહંકારમાં, પછી ચિત્ત, મન, છેવટે બુદ્ધિ અને છેલ્લે જીવમાં નિશ્ચય થાય છે. ૩. જીવમાં નિશ્ચય હોય તો ભગવાન ગમે તેવા ચરિત્ર કરે તો…

પ્રતિપાદિત વિષયઃ બુદ્ધિમા ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ આવવાનું કારણ. મુખ્ય મુદ્દાઃ ૧. કોઈ ગરીબને દુભવ્યા હોય, માબાપની ચાકરી ન કરી હોય, કોઈ સાચા ભક્તની આંતરડી કકળાવી હોય તો બુદ્ધિ શાપિત થઈ જાય છે. પછી તેને બુદ્ધિમાં ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ જ આવે. ર. તેઓને રાજી કર્યા હોય ને…

પ્રતિપાદિત વિષયઃ સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહેવા માટેના પરિબળો. મુખ્ય મુદ્દાઃ ૧. ખાસ કરીને યુવાવસ્થામાં જેને અયોગ્ય ઘાટ ઉપર ખટકો હોય કે મને તે થાય તે બરાબર નહિ તે વધતો રહે છે. ર. છોકરાની સોબત, જીહ્‌વાના સ્વાદમાં અરુચિ તથા દેહ દમન એ વધવાનાં લક્ષણો છે. ૩. સદાય ચડતા રંગ…

પ્રતિપાદિત વિષયઃ સાક્ષીનું જાણપણું. મુખ્ય મુદ્દાઃ ૧.જીવનું જાણપણું પણ સાક્ષીના જાણપણાને આધારિત છે. ર.સાક્ષી મૂર્તિમાન થકા પણ વ્યાપક બની શકે. વિવેચન :– આ વચનામૃત સાક્ષીના જાણપણાનું વચનામૃત છે. મહારાજની પ્રેરણાથી ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછયું. આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે ? ત્યારે સ્વામીએ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન મુખ્ય મુદ્દાઃ ૧.પોતાના એકાંતિક ભક્તોને લાડ લડાવવા તે અવતાર ધર્યાનું મુખ્ય પ્રયોજન. ર.ધર્મનું સ્થાપન અને અસુરોના નાશનું પણ પ્રયોજન. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન પૂછયો છે. ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં…

પ્રતિપાદિત વિષયઃ મત્સર ટાળવો. મુખ્ય મુદ્દાઃ ૧.બીજાના સારામાં પોતાના અંતરમાં દાઝ થાય તેને મત્સર કહેવાય. ર.સ્ત્રી, ધન, સારું ભોજન અને માન એ મત્સર ઉપજવાના હેતુ છે. ૩.સંતને માર્ગે ચાલે, મત્સર ટાળવાનો દૃઢ નિરધાર કરે અને ભગવાન ને ભગવાનના ભક્ત માટે સર્વસ્વ કુરબાન કરી રાખે તો તેનો મત્સર ટળે છે. વિવેચન…

પ્રતિપાદિત વિષયઃ વૈરાગ્ય ઉદય થયાનું કારણ. મુખ્ય મુદ્દાઃ ૧.જો સર્વે અહંતા–મમતા મૂકે તો ગૃહસ્થને પણ ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રહે. ર.સંત અને સત્‌શાસ્ત્રનાં વચને કરીને જેને ચટકી લાગે તેને વૈરાગ્ય ઉદય થાય. ૩.પરમાત્માની સાચી ઓળખાણને આત્યંતિક કલ્યાણ કહેવાય. વિવેચન :– આ વચનામૃતમાં બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો જે, હે મહારાજ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનું સંગણ – નિર્ગુણપણું. મુખ્ય મુદ્દાઃ ૧.સંગણપણું અને નિર્ગુણપણું એ તો ભગવાનનું ઐશ્વર્ય છે. ર.મનુષ્યાકાર, સચ્ચિદાનંદ એવા પ્રત્યક્ષ મહારાજ એ ભગવાનનું મૂળ રૂપ છે. ૩.ભગવાનના સંગણ – નિર્ગુણ ભાવને યથાર્થ જાણે તો તેને કાળ, કર્મને માયા બંધન કરતા નથી. વિવેચન :– આ વચનામૃત સંગણ નિર્ગુણ ભાવનું છે. અહીં…

પ્રતિપાદિત વિષયઃ પાડાખાર પ્રકૃતિ અથવા અતિ વેરની ડંખીલી પ્રકૃતિ. મુખ્ય મુદ્દાઃ ૧.ખારીલી(ડંખીલી) પ્રકૃતિવાળાને સાધુ ન કહેવાય. ર.જો ભક્તને ભગવાનનો મહિમા સમજાય તો તે ડંખીલી પ્રકૃતિ નાશ પામે છે. વિવેચન :– આ વચનામૃતને પાડાખારનું વચનામૃત કહેવામાં આવે છે. પાડાઓની જાતમાં પોતાની જ્ઞાતિ પ્રત્યે અથવા બીજા પાડા પ્રત્યે તીવ્ર દ્વેષ અને વેર…

પ્રતિપાદિત વિષયઃ તપે કરીને ભગવાનને રાજી કરવા. મુખ્ય મુદ્દાઃ ૧.વિવેકી સાધુ હોય તેણે તપે કરીને ભગવાનને રાજી કરવાની ઈચ્છા રાખવી. ર.દરેકના અલગ ઈશક હોય છે. ભગવાનને રાજી કરવા ઈચ્છતા સંતોએ તપનો ઈશક રાખવો.(મહારાજની જેમ) ૩.મહારાજને સર્વ કર્તા માનવા. વિવેચન :– આ વચનામૃત તપે કરીને ભગવાનને રાજી કરવાનું છે. મહારાજના શરીરમાં…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનમાં પ્રીતિનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.પ્રિયતમની મરજી પ્રમાણે વર્તે એ પ્રીતિનું લક્ષણ છે. ર.ભગવાનને રાજી કરવા ભગવાનનું સાંનિધ્ય દૂર કરવુ પડતું હોય તો તે પણ કરવું પણ મરજી ન લોપવી. વિવેચન :– આ વચનામૃત પ્રીતિનું વચનામૃત છે. આ વચનામૃતમાં સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. ભગવાનને વિષે પ્રીતિ હોય…

પ્રતિપાદિત વિષયઃ કારણ શરીરનો નાશ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનની મૂર્તિનું ધ્યાન અને વચનને હૃદયમાં ધારવાથી કારણ શરીરનો નાશ થઈ જાય છે. ર.હૃદયપૂર્વક આસ્તિક થઈને અધ્યાત્મવાર્તા સાંભળવાથી ને મનન કરવાથી મન નિર્વિષયી થાય છે.(કારણ શરીર ખોખલું થાય છે) વિવેચન :– આ વચનામૃત આંબલીનાં કચૂકાનુ અથવા તો કારણ શરીર ટાળ્યાનું છે. અહીં જીવના…