Browsing CategoryGadhada Last Chapter

પ્રતિપાદિત વિષયઃ પ્રેમલક્ષણા ભક્તિ પરિશુદ્ધ ભાવથી કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.રસિક ભક્તિમાં પ્રથમ ભાવની–આશયની શુદ્ધિથી ભક્તિ કરવી. ર.ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. વિવેચન :– મહારાજની આગળ પ્રેમભક્તિના કીર્તન ગવાતાં હતાં તે સાંભળીને મહારાજે વાત કરી. આ કીર્તનોમાં પ્રેમભક્તિનું જે પ્રકારનું અગ કહ્યું એવું અંગ ઝીણાભાઈનું છે તથા તેવાં અંગ પર્વતભાઈ ને…

પ્રતિપાદિત વિષયઃ સમયાનુસાર માનસી પૂજા કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.પોતાના મનમાં ગમતા પદાર્થોથી ભગવાનની માનસી પૂજા કરવી. ર.ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય અથવા વઢે તો પણ પોતાનાં ભાગ્ય માનવાં ને રાજી થકા સેવા ભજન કરવું. વિવેચન :– આ વચનામૃત માનસી પૂજાનું વચનામૃત છે. ભગવાનની મૂર્તિમાં હેત વધારવા માટે માનસી પૂજા…

પ્રતિપાદિત વિષયઃ અક્ષરધામની સેવા પ્રાપ્તિનાં સાધનો, આપત્કાળમા પણ ધર્મથી ન પડવું, પ્રકૃતિ જવાનો ઉપાય,જ્ઞાનાંશનો વૈરાગ્ય. મુખ્ય મુદ્દાઃ ૧.સોળ સાધને કરીને મહારાજની સેવામાં રહેવાય છે. ર.જેને વચનની ખટક છે તે કયારેય ધર્મથી ન પડે. ૩.ગરજ જણાય તો પ્રકૃતિ તત્કાળ ટળે છે. ૪.જ્ઞાનાંશનો વૈરાગ્ય સર્વે બંધન કાપી નાખે છે. પ.કથાવાર્તા સાંભળવામાં જેટલી…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને રાજી કરવાનું ધ્યેય રાખવું તથા ભગવાનનું ગમતું કરવું. મુખ્ય મુદ્દાઃ ૧.કોઈપણ ક્રિયામાં નિષ્કામ ભાવ રાખવો તે સાચું પણ ભગવાનને રાજી કરવાની કામનાનો ત્યાગ ન કરવો. તે તો રાખવી. ર.ભગવાનને ગમે તે કરવું અને ન ગમે તે ન કરવું તો ભગવાન રાજી થાય. વિવેચન :– આ વચનામૃત શ્રીજી…

પ્રતિપાદિત વિષયઃ ભગવાન પેઠે સેવવા યોગ્ય સંત, દેશકાળે કોને બંધન ન થાય, મહારાજનું ગમતું–અણગમતું. મુખ્ય મુદ્દાઃ ૧.જેની બુદ્ધિમાં ધર્માંશ વધુ હોય તેને કોઈ પદાર્થ બંધન ન કરે. ર.ભગવાનનું અણગમતું ત્યાગ કરવું ને ગમતું કરવું. વિવેચન :– મહારાજે વાત કરી જે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા…

પ્રતિપાદિત વિષયઃ મૂર્તિનો મહિમા તથા આંટી પાડવા વિષે. મુખ્ય મુદ્દાઃ ૧.મહારાજની મૂર્તિમાં એક સ્થાનેથી સમગ્ર પંચ વિષયનું સુખ પ્રાપ્ત થાય છે. ર.ખપવાળો પ્રકૃતિ ટાળી નાખે છે. ૩.સવળી આંટી પાડવી. ૪.પંચવર્તમાને યુક્ત સંતના વચને મહારાજનો નિશ્ચય કરવો.                        વિવેચન :– શ્રીજી મહારાજે…

પ્રતિપાદિત વિષયઃ ભક્તિમાંથી પડવાના બે કારણ. ભગવાનના મહિમાથી માન જાય. નિષ્કામ ભક્ત અને ભગવત્‌સુખાનુભૂતિ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનનો મહિમા સમજવો પણ નિરાકાર ન સમજવા. ર.ભગવાનને સાકાર સમજવા પણ માણસ જેવા નહિ, દિવ્ય સમજવા. ૩.ભગવાનનો મહિમા સમજે તો માન ન આવે. ૪.નિષ્કામ ભક્ત પર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. પ.ભગવાન સિવાય ઈતર…

પ્રતિપાદિત વિષયઃ વાસના કુંઠિત કોની થાય ? મુખ્ય મુદ્દાઃ ૧.મંદ વૈરાગ્યવાળાને ગૃહસ્થાશ્રમ કરીને વાનપ્રસ્થ ને પછી સંન્યાસ લેવો. ર.ઉત્તમ સંતમાં હેત કરે ને સીધો સંન્યાસ લે તો પણ તેનો ત્યાગ પાર પડે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછયો જે, બે સત્સંગી છે. તેની અવસ્થા વીશ વીશ વરસની છે.…

પ્રતિપાદિત વિષયઃ પાંચ વાર્તાનું અનુસંધાન. મુખ્ય મુદ્દાઃ ૧.પરમાત્માને સાકાર માનવા અને તેને રાજી કરવા માટે પુરુષાર્થ કરવો તે મહારાજનો સિદ્વાંત છે. ર.મરીને ભગવાન પાસે પહોંચવા માટે મહારાજે બતાવેલા પાંચ અનુસંધાન અતિ જરૂરી છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે અમારા મનમાં આ બે વાર્તા ગમે છે. ત્યાં મન…

પ્રતિપાદિત વિષયઃ મૂર્તિનું અનેકતામાં એકપણું અને દિવ્યપણું. મુખ્ય મુદ્દાઃ ૧.જુદી જુદી દેખાતી હોવા છતાં અક્ષરધામમાં છે તે જ આ મૂર્તિ છે. એવી દૃઢ માન્યતા પૂર્વક મૂર્તિનું ધ્યાન કરવું. ર.જેટલી ઈતર આસક્તિ દૂર કરીને મૂર્તિમાં આસક્ત થવાય તેટલી યથાર્થતા જલ્દી અનુભવાય. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ મહારાજે પ્રેમભક્તિના કીર્તન ગવરાવ્યાં. પછી…

પ્રતિપાદિત વિષયઃ વાસના દૂર કરવાનું સાધન તથા મહિમા પાપ દૂર કરે કે વધારે ? મુખ્ય મુદ્દાઃ ૧.તપશ્ચર્યાના સહકાર વિના એકલી ભક્તિ વાસનાનો નાશ જલ્દી કરી શકતી નથી . ર.મહિમા પાછળ શુદ્ધ આશય ન હોય તો જીવનમાં પાપનો વધારો થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે પૂછયું કે ‘વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય…

પ્રતિપાદિત વિષયઃ ચાર વાનાંની કાચ્યપ ટાળવાનું. મુખ્ય મુદ્દાઃ ૧.જે આત્મલક્ષી તથા પરમાત્માલક્ષી હોય તેને ચાર વાનાંથી પણ કોઈ જાતનો ફેર પડે નહિ તથા આસ્થા આવે નહિ. ર.ધર્માદિ ચાર વાનાં પૂર્ણ હોય ત્યારે વાસુદેવ ભગવાનમાં પ્રવેશ(અતિ આસક્તિ)થાય છે. ૩.સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ આ ચાર વાનાંની કાચ્યપ ટાળે તો નિર્વિધ્ન ભક્તિ…

પ્રતિપાદિત વિષયઃ એક ભગવાન વિના બીજી સર્વે વાસનાનો નાશ કરવો. મુખ્ય મુદ્દાઃ ૧.પંચ વિષયના ત્યાગ તથા ભગવાનની ભક્તિ સંબંધી વધારાના નિયમોનું પાલન કરવાથી એક ભગવાનની જ વાસના રહે છે. બીજી નાશ પમે છે. ર.હજારો જીવોને ભગવાનના રસ્તે ચલાવવાના શુભાશયથી લીધેલ માર્ગ માટે ક્રોધ થાય તો પણ તેના માર્ગમાં તે ઝાઝો…

પ્રતિપાદિત વિષયઃ જેની સેવા કર્યાથી ભગવાનની સેવા થાય તથા જેનો દ્રોહ કર્યાથી ભગવાનનો દ્રોહ થાય તેવા સંતના લક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧.જેને મનમાં એક ભગવાનની જ મોટાઈ હોય ને તેને અર્થે જ સર્વસ્વ કુરબાની કરી રાખી હોય તેનો આશ્રય કયારેય ટળે નહિ. ર.પ્રકૃતિ મરોડે ત્યારે ભક્તનો ગુણ લે અને પોતાનો અવગુણ…

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણનો અનાદિ નિર્વિધ્ન માર્ગ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહમાં અનાદિ સાકાર માનવા. ર.ભગવાનની સ્વામી સેવકભાવે ઉપાસના કરવી. ૩.નિરાકાર માન્યતાથી અને માનનારાથી દૂર રહેવું. વિવેચન :– શ્રીજી મહારાજે આ વચનામૃતમાં પ્રશ્ન પૂછયો છે જે, આ જીવને કલ્યાણ પામવાનો અસાધારણ માર્ગ એવો કયો છે કે જેમા પ્રવર્તે તો નિશ્ચે તેનું…

પ્રતિપાદિત વિષયઃ મોરે ખાધેલ સારી સારી વસ્તુને (ભગવાનના સુખને) સંભારી રાખવી. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનનું સુખ અથવા ભક્તિનું સુખ એક વાર યથાર્થ અનુભવાયા પછી ભુલાતું નથી. ર.સારા દેશકાળ ન રહે તો પણ તે પછી ભૂલો પડતો નથી. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી જે, ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જેના…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા તથા છ વાનાંના ત્યાગનું. મુખ્ય મુદ્દાઃ ૧.માયાથી થયેલા આકારોથી મહારાજનું સ્વરૂપ ભિન્ન છે . ર.અક્ષરધામમાં રહેલું ભગવાનનું સ્વરૂપ અને પ્રત્યક્ષ પૃથ્વી ઉપર રહેલું સ્વરૂપ બન્ને એક છે. જરા પણ ભેદ નથી. ૩.લોભાદિક છ વાનાં જેનામાં હોય તે જીવતે કે મરીને કયારેય સુખી થાય જ નહિ.…

પ્રતિપાદિત વિષયઃ આત્મા–પરમાત્માનો વેગ લગાડવો. મુખ્ય મુદ્દાઃ ૧.પોતાને દેહથી પૃથક્‌આત્મા માનવો. ર.મહારાજે બતાવેલા દૃષ્ટિકોણથી ભગવાનનો મહિમા સમજવો. ૩.ઉપરના બન્નેનો પોતાના અંતરમાં વેગ લગાડી દેવો. વિવેચન :– મહારાજે પ્રથમ આ વચનામૃતમાં વાત કરી જે માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી. એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેમાં માયા તે કઈ ? તો દેહને…