Browsing CategoryBhagvat Gita Chintan

શ્લોક ૨૦-૨૫ સકામ અને નિષ્કામ ઉપાસનાનું ફળ त्रैविद्या मां सोमपा: पूतपापा: यज्ञैरिष्ट्‌वा स्वर्गतिं प्रार्थयन्ते। ते पुण्यमासाद्य सुरेन्द्रलोकमश्नन्ति दिव्यान्दिवि देवभोगान्‌ ।।२०।। અર્થ : વેદત્રયીમાં કહેલાં કર્મ કરનારા, સોમ-રસનું પાન કરનારા અને તેથી જ પાપ રહિત થયેલા પુરુષો વેદ વિહિત યજ્ઞોથી મારું પૂજન કરીને સ્વર્ગ લોકની પ્રાપ્તિની માગણી કરે છે. તેઓ પુણ્ય…

શ્લોક ૧૬-૧૯ સર્વાત્મરૂપે પ્ર્ભાવસહિત ભગવાનના સ્વરૂપનું વર્ણન अहं क्रतुरहं यज्ञ: स्वधाहमहमौषधम्‌। मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम्‌।।१६।। पिताहमस्य जगतो माता घाता पितामह:। वेद्यं पवित्रमोंकार ऋक्साम यजुरेव च।।१७।। गतिर्भर्ता प्रभु: साक्षी निवास: शरणं सुहृत्‌। प्रभव: प्रलय: स्थानं निधानं बीजमव्ययम्‌।।१८।। અર્થ : કતુ શ્રૌત યજ્ઞ હું છું. યજ્ઞ-સ્માર્ત યજ્ઞ હું છું. સ્વધા-આહુતિ આપવાનો મંત્ર હું છું.…

શ્લોક ૧૧-૧૫ ભગવાનનો તિરસ્કાર કરનારાં આસુરી પ્રકૃતિનાં માણસોની નિંદા તથા દૈવી પ્રકૃતિનાં માણસોના ભગવદ્ ભજનનો પ્રકાર अवजानन्ति मां मूढा मानुर्षी तनुमाश्रितम्‌। परं भावमजानन्तो मम भूतमहेश्वरम्‌।।११।। અર્થ : સર્વ ભૂત-પ્રાણી માત્રનો હું સર્વોપરિ નિયન્તા છું એ મારું મોટું ઐશ્વર્ય નહિ જાણનારા મૂઢાત્માઓ મનુષ્ય શરીરને પ્રત્યક્ષ વર્તતા મારી અવજ્ઞા કરે છે. ।।૧૧।।…

શ્લોક ૦૭-૧૦ જગતની ઉત્પત્તિનો વિષય सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम्‌। कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम्‌।।७।। અર્થ : હે કૌન્તેય ! કલ્પને અંતે સર્વ ભૂત-પ્રાણીમાત્ર મારી માયા પ્રત્યે પ્રવેશી જાય છે. તેજ સર્વ ભૂતોને કલ્પના આરંભમાં પાછો હું જ સર્જાંુ છું. ।।૭।। બીજા કોઈની અપેક્ષા રાખ્યા સિવાય એક માત્ર ભગવાનના સંકલ્પ માત્રથી…

શ્લોક ૦૧-૦૬ પ્રભાવસહિત જ્ઞાનનો વિષય શ્રી ભગવાન બોલ્યા इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे। ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्‌।।१।। અર્થઃ શ્રી ભગવાન કહે છે-તું અસૂયા દોષથી રહિત છું માટે અતિ રહસ્યરૂપ એવું આ વિજ્ઞાને સહિત જ્ઞાન તે હું તને કહીશ કે જે જ્ઞાન સમજવાથી મોક્ષમાં વિરોધી અશુભ-પાપમાત્રથી તું મુક્ત થઈ જઈશ. ।।૧।।…

શ્લોક ૨૩-૨૮ શુક્લ અને કૃષ્ણમાર્ગનો વિષય यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिन:। प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ।।२३।। અર્થઃ હવે કર્મયોગીઓ જે કાળમાં મરણ પામતાં અનાવૃત્તિ અને આવૃત્તિ પામે છે, તે કાળને હે ભરતવર્ષભ ! હું તને કહું છું. ।।૨૩।। આને આ જન્મે મૃત્યુ થતાં જ પરમાત્માના ધામમાં પહોંચી જવાય તેને…

શ્લોક ૮-૨૨ ભક્તિયોગનો વિષય अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना। परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन्‌।।८।। અર્થઃ હે પાર્થ ! અભ્યાસ-યોગયુક્ત અને અનન્યગામિ એવા ચિત્તથી દિવ્યાકાર પરમ પુરુષનું ચિંતવન કરતા કરતાં તેને જ પામે છે. ।।૮।। अभ्यासयोगयुक्तेन અહીં અભ્યાસ અને યોગ બે શબ્દો આવેલા છે. તેમાં आलम्बन संशीलनं पुन: पुन: अभ्यास:। आलम्बन संशीलनं-उपास्यसंशीलनं इत्यर्थ:।…

શ્લોક ૧-૭ બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મ વગેરેના વિષયમાં અર્જુનના સાત પ્રશ્નો અને એમનો ઉત્તરો અર્જુન બોલ્યા किं तद्‌ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम। अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते।।१।। अधियज्ञ: कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन। प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभि:।।२।। અર્થઃ હે પુરુષોત્તમ ! તે બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું ? અને કર્મ…

અન્ય દેવતાઓની ઉપાસનાનો વિષય कामैस्तैस्तैर्हृतज्ञाना: प्रपद्यन्तेऽन्यदेवता:।तं तं नियममास्थाय प्रकृत्या नियता: स्वया।।२०।। અર્થ : અને બીજાઓ તો તે તે કામનાઓથી હરાઈ ગયું છે જ્ઞાન જેમનું એવા હોવાથી, પોત પોતાની પ્રકૃતિ-સ્વભાવને વશ થઈને, તે તે માર્ગમાં રહેલા નિયમોને આશરીને બીજા ઈન્દ્રાદિક દેવોને શરણે જાય છે. ।।૨૦।। कामैस्तैस्तैर्हृतज्ञाना: આજ અધ્યાયના પંદરમાં શ્લોકમાં વર્ણવાયેલા…

આસુરી સ્વભાવનાં માણસોની નિંદા અને ભગવદ્ભક્તોની પ્રશંસા त्रिभिर्गुणमयैर्भावैरेभि: सर्वमिदं जगत्‌।मोहितं नाभिजानाति मामेभ्य: परमव्ययम्‌।।१३।। અર્થ : આ કહ્યા એવા સાત્ત્વિક, રાજસ અને તામસ એ ત્રણ ગુણમય ભાવોથી-પદાર્થોથી મોહ પામેલું આ સઘળું જગત્‌, એ માયાના કાર્યથી પર રહેલા અવિનાશી સ્વરૂપ એવા મને જાણતું-ઓળખતું નથી. ।।૧૩।। त्रिभिर्गुणमयै: જે મનુષ્ય, કારણ સ્વરૂપમાં ભગવાન રહ્યા…

સઘળા પદાર્થોમાં કારણરૂપે ભગવાનની વ્યાપકતાનું કથન रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययो:।प्रणव: सर्ववेदेषु शब्द: खे पौरुषं नृषु।।८।। અર્થ : હેકૌન્તેય ! જળમાં રસ તે હું છું. શશીમાં અને સૂર્યમાં પ્રભા તે હું છું. સર્વ વેદોમાં પ્રણવ-ૐકાર હું છું અને પુરુષોમાં પુરુષાર્થ તે હું છું. ।।૮।। હવે જે કાંઈ કાર્ય દેખાય છે, તેના…

વિજ્ઞાન સહિત જ્ઞાનનો વિષય શ્રી ભગવાન બોલ્યા मय्यासक्तमना: पार्थ योगं युञ्जन्मदाश्रय:।असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે પૃથાના પુત્ર અર્જુન ! મારામાં પૂરે પૂરું મન રાખીને અને મારોજ દૃઢ આશ્રય કરીને મારો યોગ સાધતાં મને સમગ્રપણે નિઃસંશય જેમ તું જાણું તેમ હું કહું છું તે…

મનના નિગ્રહનો વિષય અર્જુન બોલ્યા योऽयं योगस्त्वया प्रोक्त: साम्येन मधुसूदन।एतस्याहं न पश्यामि चञ्चलत्वात्‌ स्थितिं स्थिराम्‌।।३३।। અર્થઃ હે મધુસૂદન ! જે આ યોગ સમભાવરૂપે આપે કહ્યો, એની સ્થિતિ (મનની) ચંચળતાને લીધે હું સ્થિર જોતો નથી. હવે અર્જુન પ્રથમ ભગવાને જે સમતારૂપ યોગ કહ્યો તેને વિશદરૂપે જાણવા માટે ફરીવાર પ્રશ્ન કરે છે…

આત્મ-ઉદ્ધાર માટે પ્રેરણા અને ભગવત્પ્રાપ્ત પુરુષનાં લક્ષણો उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्‌।आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:।।५।। અર્થઃ પોતાના વડે પોતાનો સંસાર-સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે; કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર કે શત્રુ છે. उद्धरेदात्मनात्मानम्‌…પોતાની જાતથી પોતાનો ઉદ્ધાર કરવો-એનું તાત્પર્ય એ છે કે, પ્રાકૃત પદાર્થ, વ્યક્તિ, ક્રિયા અને સંકલ્પમાં આસક્ત…

કર્મયોગનો વિષય અને યોગારૂઢ પુરુષનાં લક્ષણો શ્રીભગવાન બોલ્યા अनाश्रित: कर्मफलं कार्यं कर्म करोति य:।स संन्यासी च योगी च निरग्निर्न चाक्रिय:।।१।। અર્થઃ કર્મફળનો આશ્રય લીધા વિના જે શાસ્ત્રમાં કહેલા કર્તવ્યકર્મો કરે છે તે સંન્યાસી છે, યોગી છે; જે યજ્ઞનો કે કર્મમાત્રનો ત્યાગ કરે છે તે સંન્યાસી કે યોગી નથી. अनाश्रित: कर्मफलम्‌-આ…

ભક્તિસહિત ધ્યાનયોગનું વર્ણન स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवो:।प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ।।२७।।यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायण:।विगतेच्छाभयक्रोधो य: सदा मुक्त एव स:।।२८।। અર્થઃ બહારના વિષયભોગોને બહાર જ રાખીને, દૃષ્ટિને બે ભવાં વચ્ચે સ્થિર કરીને, નાક વાટે આવતા જતા પ્રાણ અને અપાન વાયુની ગતિ સમાન કરીને જેણે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યાં છે, જે ઈચ્છા, ભય અને ક્રોધથી…

જ્ઞાનયોગનો વિષય सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी।नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन्‌।।१३।। અર્થઃ જે દેહધારી પુરુષ પોતાના સ્વભાવને વશ કરે છે અને બધાં કર્મોનો મન વડે ત્યાગ કરે છે તે કંઈ કર્યા વિના નવદ્વારવાળા આ દેહમાં સુખેથી રહે છે. वशी देही-ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેમાં મમતા-આસક્તિ હોવાથી જ તેઓ સાધક ઉપર…

જ્ઞાનનો મહિમા श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञ: परंतप।सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ।।३३।। અર્થઃ હે પરંતપ ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ ! સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. અત્યાર સુધી ભગવાને સર્વ કર્મોને જ્ઞાનાકારતા બતાવી, कर्मणि अकर्म य: पश्येत्‌ વગેરે વાક્યોથી હવે અધ્યાય સમાપ્તિ સુધી જ્ઞાનની પ્રશંસા કરતાં…

જ્ઞાનસહિત પ્રકૃતિ-પુરુષનો વિષય प्रकृतिं पुरुषं चैव विद्धयनादी उभावपि।विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्‌।।१९।। અર્થ : પ્રકૃતિ-માયા અને પુરુષ-જીવાત્મા એ બન્નેયને અનાદિ જાણ-સમજ ! અને સર્વ વિકારો અને ગુણો તે પ્રકૃતિમાંથી થયેલા જાણ ! ।।૧૯।। અહીં પ્રકૃતિ-શબ્દ સમગ્ર ક્ષેત્ર(જગત્‌)ના કારણરૂપી મૂળ પ્રકૃતિને માટે વપરાયો છે. સાત પ્રકૃતિવિકૃતિ (પંચમહાભૂત, અહંકાર અને મહતત્ત્વ), સોળ વિકૃતિ(દસ…

જ્ઞાનસહિત ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનો વિષય ભગવાન બોલ્યા इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते।एतद्यो वेत्ति तं प्राहु: क्षेत्रज्ञ इति तद्विद:।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે અર્જુન ! આ શરીરને ક્ષેત્ર એવા નામે કહેવામાં આવે છે અને તે ક્ષેત્ર-શરીરને જે જાણે છે. તે જીવાત્માને ક્ષેત્રજ્ઞ એવા નામે તે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના સ્વરૂપને યથાર્થ જાણનારા જ્ઞાનીજનો કહે છે.…

ભગવત્પ્રાપ્ત પુરુષોનાં લક્ષણો अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च।निर्ममो निरहंकार: समदु:खसुख: क्षमी।।१३।।सन्तुष्ट: सततं योगी यतात्मा दढनिश्चय:मय्यर्पितमनोबुद्धिर्यो मद्‌भक्त: स मे प्रिय:।।१४।। અર્થ : સર્વ ભૂત પ્રાણીમાત્રનો દ્વેષ નહિ કરનારો, નિઃસ્વાર્થપણે સર્વની મૈત્રી રાખનારો, અકારણ સર્વના ઉપર કરુણા રાખનારો, મમતાએ રહિત અને અહંકારે પણ રહિત, સુખ-દુઃખમાં સમ રહેનારો અને અપરાધીને પણ અભય…