Browsing CategoryAdhyay 09

શ્લોક ૦૧-૦૬ પ્રભાવસહિત જ્ઞાનનો વિષય શ્રી ભગવાન બોલ્યા इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे। ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्‌।।१।। અર્થઃ શ્રી ભગવાન કહે છે-તું અસૂયા દોષથી રહિત છું માટે અતિ રહસ્યરૂપ એવું આ વિજ્ઞાને સહિત જ્ઞાન તે હું તને કહીશ કે જે જ્ઞાન સમજવાથી મોક્ષમાં વિરોધી અશુભ-પાપમાત્રથી તું મુક્ત થઈ જઈશ. ।।૧।।…

શ્લોક ૦૭-૧૦ જગતની ઉત્પત્તિનો વિષય सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम्‌। कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम्‌।।७।। અર્થ : હે કૌન્તેય ! કલ્પને અંતે સર્વ ભૂત-પ્રાણીમાત્ર મારી માયા પ્રત્યે પ્રવેશી જાય છે. તેજ સર્વ ભૂતોને કલ્પના આરંભમાં પાછો હું જ સર્જાંુ છું. ।।૭।। બીજા કોઈની અપેક્ષા રાખ્યા સિવાય એક માત્ર ભગવાનના સંકલ્પ માત્રથી…

શ્લોક ૧૧-૧૫ ભગવાનનો તિરસ્કાર કરનારાં આસુરી પ્રકૃતિનાં માણસોની નિંદા તથા દૈવી પ્રકૃતિનાં માણસોના ભગવદ્ ભજનનો પ્રકાર अवजानन्ति मां मूढा मानुर्षी तनुमाश्रितम्‌। परं भावमजानन्तो मम भूतमहेश्वरम्‌।।११।। અર્થ : સર્વ ભૂત-પ્રાણી માત્રનો હું સર્વોપરિ નિયન્તા છું એ મારું મોટું ઐશ્વર્ય નહિ જાણનારા મૂઢાત્માઓ મનુષ્ય શરીરને પ્રત્યક્ષ વર્તતા મારી અવજ્ઞા કરે છે. ।।૧૧।।…

શ્લોક ૧૬-૧૯ સર્વાત્મરૂપે પ્ર્ભાવસહિત ભગવાનના સ્વરૂપનું વર્ણન अहं क्रतुरहं यज्ञ: स्वधाहमहमौषधम्‌। मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम्‌।।१६।। पिताहमस्य जगतो माता घाता पितामह:। वेद्यं पवित्रमोंकार ऋक्साम यजुरेव च।।१७।। गतिर्भर्ता प्रभु: साक्षी निवास: शरणं सुहृत्‌। प्रभव: प्रलय: स्थानं निधानं बीजमव्ययम्‌।।१८।। અર્થ : કતુ શ્રૌત યજ્ઞ હું છું. યજ્ઞ-સ્માર્ત યજ્ઞ હું છું. સ્વધા-આહુતિ આપવાનો મંત્ર હું છું.…

શ્લોક ૨૦-૨૫ સકામ અને નિષ્કામ ઉપાસનાનું ફળ त्रैविद्या मां सोमपा: पूतपापा: यज्ञैरिष्ट्‌वा स्वर्गतिं प्रार्थयन्ते। ते पुण्यमासाद्य सुरेन्द्रलोकमश्नन्ति दिव्यान्दिवि देवभोगान्‌ ।।२०।। અર્થ : વેદત્રયીમાં કહેલાં કર્મ કરનારા, સોમ-રસનું પાન કરનારા અને તેથી જ પાપ રહિત થયેલા પુરુષો વેદ વિહિત યજ્ઞોથી મારું પૂજન કરીને સ્વર્ગ લોકની પ્રાપ્તિની માગણી કરે છે. તેઓ પુણ્ય…

શ્લોક ૨૬-૩૪ નિષ્કામ ભગવદ્ભક્તિનો મહિમા पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति। तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मन:।।२६।। અર્થ : કેટલો સરળ અને સુલભ છું તે તો જો !) પત્ર, પુષ્પ, ફળ કે જળ જે મને પ્રેમથી અર્પણ કરે છે. તે હું પવિત્ર-એકાગ્ર મનવાળા મારા ભક્તનું ભક્તિથી આપેલું ગ્રહણ કરું છું. ।।૨૬।।…