Posts Written BySwaminarayan Chintan

પ્રતિપાદિત વિષયઃ સ્વાભાવિક ગુણનું પ્રવર્તન તથા દશમ અને પંચમ સ્કંધનું રહસ્ય. મુખ્ય મુદ્દાઃ ૧.મોટેરામાં નિષ્કામી વ્રત ખાસ જોઈએ. ર.પરોક્ષપણે જે ભગવાનને ગાયા છે તે જ આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે એમ માનવું તે દશમ સ્કંધનું રહસ્ય છે. ૩.જો ભગવાને બાંધેલ મર્યાદા લોપે તો ગમે તેવા મોટાની પણ અધોગતિ થાય છે…

પ્રતિપાદિત વિષયઃ વાસુદેવમાં પ્રવેશ થવો એટલે શું ? મુખ્ય મુદ્દા         ૧.ભગવાનમાં અતિ આસક્તિ થવી તેને પ્રવેશ થયો કહેવાય. ર.જેમ જળમાં જળ મળી જાય તે પ્રવેશ નથી. વિવેચન :– આ વાસુદેવ ભગવાનમાં પ્રવેશનું વચનામૃત છે. જગત પ્રવેશ, દેવતાન્તર પ્રવેશ અને મહારાજમાં પ્રવેશ કેમ થાય અથવા પ્રવેશ એટલે…

પ્રતિપાદિત વિષયઃ પ્રકૃતિ ટાળવાનો ઉપાય. મુખ્ય મુદ્દો         ૧.પ્રકૃતિ ટાળવા માટે સત્પુરુષમાં વિશ્વાસ, પ્રીતિ, ગરજ અને ધીરજ જોઈએ. વિવેચન :– આ પ્રકૃતિ ટાળ્યાનું વચનામૃત છે. મહારાજે ગીતા વચન… સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ । પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ।। – નો ઉલ્લેખ કરીને કહ્યું, જે જ્ઞાની…

પ્રતિપાદિત વિષયઃ અખતર ડહાપણ. મુખ્ય મુદ્દાઃ ૧.અલ્પબુદ્ધિ જીવ પોતાની કલ્પના પરમાત્માને વિષે કરે છે.ર.ભગવાનની ભક્તિ રહિતના સર્વ ગુણ તે નકારા થઈ જાય છે. વિવેચન :– આ વચનામૃત છે તે ‘અખતર ડાહ્યા’નું વચનામૃત છે. પોતાની ક્ષુદ્ર બુદ્ધિને ભગવાનનો મહિમા સમજવામાં નહિ આવવાથી ભગવાનનો અવગુણ લેવાય છે તેને માટે મહારાજે આ વચનામૃતમાં…

પ્રતિપાદિત વિષયઃ ભરતજીનું ચમત્કારી આખ્યાન. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનના ભક્તએ ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. ર.આ આખ્યાનનું અનુસંધાન રાખી જે પ્રકારે ભગવાનમાં અખંડવૃત્તિ રહે તેવો પ્રયત્ન કરવો. વિવેચન :– આ વચનામૃત ભરતજીના ચમત્કારી આખ્યાનનું છે. શ્રીજી મહારાજ કહે છે કે શ્રીમદ્‌ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન…

પ્રતિપાદિત વિષયઃ પતિવ્રતાની ટેકથી પરમાત્મામાં પ્રીતિ કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને વિષે પતિવ્રતાની ટેકથી પ્રીતિ કરવી. ર.વ્યભિચારિણીના જેવી ભક્તિ ન કરવી. વિવેચન :– આ વચનામૃત પતિવ્રતાની ટેકનું વચનામૃત છે. પતિવ્રતા નારીનો પતિ અતિ ગુણવાન અથવા ઐશ્વર્યવાન કે સત્તાવાન હોય તો જ પતિવ્રતામાં દૈવત આવે છે…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખ્યાના ઉપાય. મુખ્ય મુદ્દો         ૧. ચાર ઉપાયથી ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. ચિત્તનો ચોટવાનો સ્વભાવ  શૂરવીરપણુ વૈરાગ્ય ભય. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો : ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય…

પ્રતિપાદિત વિષયઃ છ સદ્‌ગુરુઓના અલગ અલગ પ્રશ્ન. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનને પામ્યાનું મુખ્ય સાધન અનન્ય શરણાગતિ છે. વિવેચન :– (૧) મહારાજ કહે આજે તો અમારે મોટા મોટા સંતોને પ્રશ્ન પૂછવો છે. એમ કહીને આનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો કે કયારેક થોડી બુદ્ધિવાળો હોય તેને પણ પોતાનો અવગુણ અને બીજાનો ગુણ દેખાય છે…

પ્રતિપાદિત વિષયઃ આત્મદર્શન અને જીવનું કલ્યાણ. મુખ્ય મુદ્દા ૧.કેવળ આત્મદર્શનથી જીવનું કલ્યાણ થતું નથી. ર.ધર્મે સહિત ભગવાનની ઉપાસનાથી જીવનું કલ્યાણ થાય છે. વિવેચન :– મહારાજ કહે આજે અમને નિદ્રા બહુ આવી. તે નિદ્રામાં વિચાર બહુ કર્યો ને તેમાં જે નિર્ણય કર્યો છે તે તમને કહું છું : જે હું રામાનંદ…

પ્રતિપાદિત વિષયઃ અંગમાં રહીને ભક્તિ કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.જે ભક્તિ કરવાથી પોતાનું મન ભગવાનમાં ચોટે અને પંચ વિષયના સંકલ્પો ન થાય તે પોતાનું અંગ કહેવાય. ર.પોતાના અંગમાં રહીને ભક્તિ કરવાથી સમાસ ઘણો થાય છે.                વિવેચન :– આ વચનામૃત પાટો ગોઠયાનું વચનામૃત છે. મહારાજે દૃષ્ટાંત…

પ્રતિપાદિત વિષયઃ મલિન વાસના, પ્રીતિ થવાનું સાધન, દૈવી આસુરીની ઓળખાણ, સ્નેહથી વિવેક–વૈરાગ્ય, વિશ્વાસપાત્ર મહિમા, મોટા પુરુષની દયાળુતા વગેરે. મુખ્ય મુદ્દાઃ ૧.મલિન વાસના ભગવાનમાં પ્રીતિ થવા દેતી નથી. ર.તીવ્ર શુભ સંસ્કારોથી મલિન સંસ્કારો દૂર થાય છે. ૩.દૈવી જીવ ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાન સન્મુખ રહે છે. ૪.ભગવાનના ભક્ત સાથે અણબનાવ એ આસુરી…

પ્રતિપાદિત વિષયઃ ત્રણ ગુણ અને ત્રણ અવસ્થાથી પર થઈને ભગવાનની ભક્તિ કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.આત્મનિષ્ઠા આદિ બીજા ગુણોની સરખામણીએ ભક્તિ શ્રેષ્ઠ ગુણ છે. ર.ભક્તિની પુષ્કળતા કરતાં ભક્તિની શુદ્ધિ વધારે મહત્ત્વની છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો જે એક પરમેશ્વરનો ભક્ત છે તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ…

પ્રતિપાદિત વિષયઃ તત્ત્વો જડ છે કે ચૈતન્ય. મુખ્ય મુદ્દા         ૧.તત્ત્વોનાં બે વિભાગ છે. કારણરૂપ તત્ત્વ જે ચેતન છે. કાર્યરૂપ તત્ત્વ જે જડ છે. ર.મુક્તિ એકલા જીવની જ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછયો છે કે આ જીવને વિશે માયાના કાર્ય એવા…

પ્રતિપાદિત વિષયઃ ઉપશમ દશા અને તેની પ્રાપ્તિનાં સાધન. મુખ્ય મુદ્દાઃ ૧.બીજાને પંચવિષય જન્મમરણના કારણ બને તો ભગવાનના ભક્તને કેમ બનતા નથી ? ર.ઉપશમ દશા. ૩.નિર્માનીભાવે અને ગરજપૂર્વક જો ભગવાનના ભક્તની સેવા કરવામાં આવે તો તે ઉપશમ પામવાનું સહેલું સાધન છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછયો છે.…

પ્રતિપાદિત વિષયઃ વિષમ દેશકાળમાં ભગવાનના ભક્તને એકાંતિકપણું અખંડ રહેવાના ઉપાયો. મુખ્ય મુદ્દાઃ એકાંતિકપણું રાખવા માટે :– ૧.મહારાજની મહિમા સહિત નિષ્ઠા.ર.ભગવાનના ભક્તોમાં પ્રીતિ.૩.અભક્તમાં અરુચિ.૪.દેહની રક્ષા માટે પ્રાર્થના નહિ.પ.ભગવાનની ભક્તિમાં મસ્તાઈ. આ વચનામૃતમાં ભગવાનના ભક્તને વિષમ દેશકાળમાં પણ એકાંતિકપણું અખંડ કેમ રહે છે તે પોતાના વર્તનના દૃષ્ટાંતથી મહારાજે સમજાવ્યું છે. ધર્મ, જ્ઞાન,…

પ્રતિપાદિત વિષયઃ દૃઢ નિષ્કામી વર્તમાનના ઉપાય અને ફળ. મુખ્ય મુદ્દા ૧.નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તેને આ લોક તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહેતું નથી.ર.નિષ્કામી ભક્તની કરેલી સેવા ભગવાનને ખૂબ ગમે છે.૩.મન, પ્રાણ અને દેહને સત્સંગના નિયમોમાં વશ કરવાથી દૃઢ નિષ્કામ વ્રત રહી શકે છે. વિવેચન :– આ વચનામૃતમાં…

મુખ્ય મુદ્દાઃ પરમેશ્વરના એકાંતિક ભકતને ધ્યાન સિદ્ધ થાય છે. વિવેચન :– શ્રીજી મહારાજે આ વચનામૃતમાં ચમત્કારી ધ્યાનની વાત કરી છે. અમસ્તાયે જેટલા ચમત્કારો થાય છે તે મોટા ભાગના ધ્યાનના બળે કરીને થાય છે, એવું યોગશાસ્ત્રમાં કહ્યું છે. તેમાં પણ આ ધ્યાન છે તે બધાની તુલનાએ ચમત્કારી મંત્ર જેવું છે. તત્કાળ…

પ્રતિપાદિત વિષયઃ સ્વામીસેવક ભાવ. મુખ્ય મુદ્દાઃ ૧.જીવ અને પરમાત્મા વચ્ચે મહારાજને મતે સ્વામીસેવકભાવ સંબંધ એ સનાતન સંબંધ છે. વિવેચન :– આ વચનામૃત સ્વામીસેવકભાવનું વચનામૃત છે. જીવ અને પરમાત્મા વચ્ચે પરમાર્થ સંબંધ કયો છે ? મહારાજ અને આપણા આત્મા વચ્ચે સનાતન સંબંધ કયો છે ? તેનું જો ભાન થઈ જાય અને…

પ્રતિપાદિત વિષયઃ સંબંધીનું હેત. મુખ્ય મુદ્દા         ૧.સંબંધીનું હેત થોરના ઝાડ જેવું છે વગર પોષણે પણ પાંગરે છે. ર.ભગવાનની સાથે સાચો સંબંધ જોડવાથી એટલે કે મહારાજની ઉપાસનાથી તે દૂર થાય છે. વિવેચન :– આ વચનામૃત થોરના ઝાડનું વચનામૃત છે. મહારાજ કહે છે કે આ સંસારને વિષે પોતાના…

પ્રતિપાદિત વિષયઃ વિધિ–નિષેધનો ભેદ સાચો છે કે ખોટો ? તથા ચિત્તનો સ્વભાવ. મુખ્ય મુદ્દા ૧.વિધિ–નિષેધનો ભેદ સત્ય છે.ર.સારાં–નરસાં કરેલાં કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.૩.મનના સંકલ્પ જોઈ હારી ન જવું. તેનાથી પોતાને ભિન્ન માનવો. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રથમ નાના નાના પરમહંસોને પૂછયું કે આ જગતમાં કેટલાક યવન…

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગના કરામતવાળી બાબતો. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન તથા તેના ભક્તો આગળ કોઈ પ્રકારનું માન ન રાખવું.ર.ભગવાન તથા તેના ભક્તોનો અવગુણ ન લેવો.૩.સંબંધીમાં અતિશય હેત ન રાખવું.                વિવેચન :– આ વચનામૃત કરામતનું વચનામૃત કહેવાય છે. કરામત એટલે કોઈ અતિ સિદ્ધ ઔષધ પેટમાં જાય…