Posts Written ByGurukul Arts

(સરલ વરતવે છે સારું રે મનવાં’ એ ઢાળ) કરીયે રાજી ઘનશ્યામ રે સંતો૦ તો સરે સરવે કામ રે. સંતો૦ ટેક મરજી જોઈ મહારાજના મનની, એમ રહીયે આઠું જામ; જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે. સંતો૦ ૧ તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહિયે હૈયે કરી હામ; અચળ…

ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપનું વર્ણન શ્રી ભગવાન બોલ્યા पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्त्रश:।नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।५।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે પાર્થ ! મારાં સોએ-સો, અને હજારો-હજાર નાના પ્રકારનાં, અનેક વર્ણવાળાં અને અનેક આકૃતિઓવાળાં દિવ્ય અલૌકિક રૂપોને તું જો ।।૫।। पश्य मे पार्थ रूपाणि અર્જુનની સંકોચપૂર્વકની પ્રાર્થનાને સાંભળીને…

ધન્યાશ્રી દમયંતી પોકાર કરે હે રાજનજી, મેલી તમે મુજને રડવડતી વનજી; હું પતિવ્રતા મારું અબળાનું તનજી, તમ વિના મારી કોણ કરશે જતનજી. ૧ ઢાળ જતન કરતા તે જાતા રહ્યા, હવે રહીશ હું શી રીતમાં; હે દૈવ દીધું દુઃખ તેં સામટું, તેહનું ન વિચાર્યું ચિત્તમાં. ૨ રડી લડથડી પડી ગઈ, સૂધ…

ધન્યાશ્રી વન વિષમ અતિશય વિકટજી, જ્યાં જ્યાં જાય ત્યાં પામે સંકટજી; રાત દિવસ રહે દુઃખ અમટજી, ઝાડ પા’ડ પૃથ્વી અતિ દુરઘટજી. ૧ ઢાળ દુરઘટ દેખી અટવી એહ, ચળી જાય મનુષ્યનાં ચિત્ત; તેમાં રાજા રાણી રડવડે, પડે દુઃખ ત્યાં અગણિત. ૨ ઘણાં ગોખરું કાટા ફ્રંગટા, કૌચ કંદ્રુ કરણાંનીર; આવિ સ્પર્શે એ…

ધન્યાશ્રી પછી પાંચે થયા નળપ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી; નાખી નળકન્ઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિરવાણજી. ૧ ઢાળ નિરાશી નર અમર ગયા, ત્યારે ઈન્દ્રે કર્યો ઉપાય; આપી કળિને આગન્યા, તું પ્રવેશ કર્ય નળમાંય. ૨ ત્યારે નળ મતિ રતિ નવ રહી, રમ્યો દ્યુતવિદ્યા ભ્રાત સાથ; રાજ સાજ સુખ સમૃદ્ધિ,…

ધન્યાશ્રી વળી કહું વાત હરિજનની અમળજી, નલરપુરીનો રાજા એક નળજી; રૂપ ગુણ શીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સુત સબળજી. ૧ ઢાળ સબળ ને સત્યવાદી સુણી, દમયંતીએ વિચારી વાત; વરવું છે એ નળને, બીજા પુરુષ તાત ને ભ્રાત. ૨ તેહ વાત ન જાણે તાત એહનો, રચ્યો સ્વયંવર તેહ વાર; તેમાં રાજા…

( રાગ : બિહાગડો ) શીદને રહીયે કંગાલ રે સંતો શીદને… જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો. ટેક૦ પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ; અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે. સંતો૦ ૧ રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ; ઘર લજામણી રાણી જાણી…

ધન્યાશ્રી જેને ઉપાય કરવો હોય એહજી, તેને થાવું સહુથી નિઃસનેહજી; જેમ વરત્યા જનક જેહજી, કરતાં રાજ્ય કે’વાણા વિદેહજી. ૧ ઢાળ વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય; ઊઠ્યા જનક ભેટ્યા સહુને, ઘણે હેતે ઘાલી હૈયામાંય. ૨ પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિયે વાત અમે ન સમજ્યા આ મર્મને,…

ધન્યાશ્રી આપ્યું કાપી તન સત્યવંત શિબિરાજજી, તેતો પરલોકના સુખને કાજજી; એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી. ૧ ઢાળ ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જ્યારે રહે એ રાજાની રીત; ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઈએ પ્રીત. ૨ અંગથી અળગું અવનિએ, વળી જે જે જણસો હોય; તેતે…

ધન્યાશ્રી શિબિ રાજા છે દયાનો નિવાસજી, પાપ કરતાં પામે બહુ ત્રાસજી; તેણે કેમ અપાય મારી પરમાંસજી, તેનો તન મનમાં કર્યો તપાસજી. ૧ ઢાળ તપાસ કરી તને મને, ત્રાજું મગાવ્યાં તે વાર; કાતું લઈ માંડ્યું કાપવા, આપવા આમિષ હોલાભાર. ૨ કાપી કાપી રાયે આપિયું, સર્વે શરીરનું માંસ; તોય ત્રાજું નવ ઉપડ્યું,…

ધન્યાશ્રી વળી કહું વાત અનુપમ એકજી, સુણજો સહુ ઉર આણી વિવેકજી; કહું સત્યવાદી રાય શિબિની ટેકજી, મૂકી નહિ નૃપે મૂવા લગે છેકજી. ૧ ઢાળ છેક ટેક તજી નહિ, દિયે દેદેકાર કરી દાન; જે જે માગે તે તે આપે તેને, બહુ કરી સનમાન. ૨ ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે, માગે મનવાંછિત…

( રાગ : બિહાગડો ) દોયલું થાવું હરિદાસ રે, સંતો દોયલું૦ જોઈએ તજવી તનસુખ આશ રે, સંતો. ટેક૦ શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ હુલાસ; પેટ કટારી મારી પગ પરઠે, તેને કેની રહી ત્રાસ રે. સંતો૦ ૧ કાયર મનમાં કરે મનસૂબા, રે’શું ઊભા આસપાસ; એમ કરતાં જો ચડી ગાય…

ધન્યાશ્રી એમ પ્રસન્ન કર્યા પરબ્રહ્મજી, સહી શરીરે બહુ પરિશ્રમજી; એહ વાત સાંભળી લેવો મર્મજી, વાત છે કઠણ નથી કાંઈ નર્મજી. ૧ ઢાળ નર્મ નથી છે કઠણ ઘણી, જેવા તેવાથી થાતી નથી; સહુ સહુના મનમાં જુઓ, ઊંડું વિચારી અંતરથી. ૨ વણ ખપવાળાને એ વારતા, અણુ એક અર્થે આવે નહિ; મહિમા માહાત્મ્ય…

ફળસહિત જુદા જુદા યજ્ઞોનું કથન ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्‌ ।।ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।।२४।। અર્થઃ જે યજ્ઞમાં અર્પણ બ્રહ્મ છે. હોમવાનું દ્રવ્ય બ્રહ્મ છે. અર્પણ કરનારો બ્રહ્મ છે. અગ્ની પણ બ્રહ્મ છે. અને બ્રહ્મમાં રહેવાવાળા યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ છે. ब्रह्मार्पणं…. આગળના શ્લોકોમાં કર્મને જ્ઞાનાકારપણે…

ધન્યાશ્રી ત્યારે સુર ગયા શ્રીપતિ પાસજી, અમર સહુએ કરી અરદાસજી; અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસજી, પણ હવે નથી હરિ એ સ્થાનકની આશજી. ૧ ઢાળ આશા નથી એહ સ્થળની, જોઈ તપ ઋભુરાયતણું; એના તપ પ્રતાપે કરી, અમે તો તપિયા ઘણું. ૨ ત્યારે શ્રીહરિ કહે સુર સાંભળો, તમે જાઓ તમારે…

ધન્યાશ્રી પ્રભુ ભજવા જેને કરવો ઉપાયજી, તેને એમ કરવું જેમ કર્યું ઋભુરાયજી; પ્રભુ પ્રસન્ન કરવા ગયા વનમાંયજી, આરંભી તપ ઊભા એક પાયજી. ૧ ઢાળ એક પગે ઊભા રહ્યા, અડગ મને અચળ થઈ; કર બેઉ ઊંચા કર્યા, શરીર પર ફેરવે નહિ. ૨ ઈચ્છા મેલી અન્ન પાનની, પ્રભુ પ્રસન્ન કરવાને કાજ; તજી…

ધન્યાશ્રી મયૂરધ્વજ કહે માગું હું તે દેજોજી, આવું રૂપ અનુપ હૃદિયામાં રે’જોજી; વળી એક બીજું મારે માગવું છેજોજી, હવે આવી પરીક્ષા કેનીએ મ લેજોજી. ૧ ઢાળ લેશોમા આવી પરીક્ષા કેની, તમે દયાળુ દયાને ગ્રહી; એમ મયૂરધ્વજે મોર્યે માગ્યું, સહુ જીવ સારુ જાણો સહી. ૨ ભલો ભલો એહ ભૂપતિ, જેની મતિ…

( રાગ : સિંધુ ) આકરે કાકરે કરવત કાઢિયું, વાઢિયું મસ્તક લલાટ લગે; ધડક ફડક થડક નથી મને, અચળ અકડ ઉભા એક પગે. આ૦ ૧ છૂટી છોળ અતોળ લાલ લોહીની, તે જોઈ જન મન ચડી ચિત્તે ચિતરી; દેખી ભૂપતિની વિપત્તિ મતિ ચળી, ઢળી વળી પડ્યાં મૂરછાયે કરી. આ૦ ૨ કરે…

યોગી મહાત્મા પુરુષોનાં આચરણ અને એમનો મહિમા यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता:।ज्ञानाग्निदग्धकर्माणं तमाहु: पण्डितं बुधा:।।१९।। અર્થઃ જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ પુરુષને જ્ઞાનીજનો પંડિત કહે છે. यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता: વિષયોનું વારંવાર ચિંતન થવાથી તેમની…

ધન્યાશ્રી ત્યારે કુમુદ્વતીને કહે દ્વિજ આમજી, નારી અંગ નરનું પણ વેદે કહ્યું વામજી; માટે અંગ તારું નાવે એને કામજી, એણે તો લીધું છે દક્ષિણનું નામજી. ૧ ઢાળ નામ લીધું છે દક્ષિણનું, રાણી કુંવરનું વે’રેલ; એવું લઈને આવજ્યે, આપ્યું હોય હરખે ભરેલ. ૨ ત્યારે મહિપતિ કહે મ બોલો કોઈ, સહુ રહો…

ધન્યાશ્રી ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી; આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજ્યો તમે જરૂર મનજી. ૧ ઢાળ જરૂર તમે જાણજ્યો, આપું ઉતાવળું આ દેહ; વિલંબ તેની નથી વળી, સાચું માનજ્યો નથી સંદેહ. ૨ ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને; પુત્ર પ્રજાને પાળજો,…